SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ ચતુર્થ પ્રકાશ મરુદેવા પણ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા જાણવા. એવી રીતે હોવાથી કઈ જાતને દોષ આવતો નથી. તેમ વળી મરુદેવા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થતાં સંકુચિત અંગવાળા સિદ્ધિપદને પામ્યા છે. ત્યારે શરીરના સંકોચપણાના સદભાવથી આંધક અવગાહના સંભવતી નથી. એ પણ અવિરોધ-નિર્દોષ છે. તે ઉપર ભાષ્યકાર આ પ્રમાણે કહે છે "कह मरुदेवा माणं नाभी तो जेण किंचिदणा सा । तो किर पंचसयच्चिअ अहवा संकोचतो सिद्धा ॥ १ ॥" (આ ગાથાનો અર્થ ઉપર કહેવામાં આવ્યો છે.) મધ્યમ અવગાહનાનું સ્વરૂપ " चत्तारि य रयणीओ, रयणीतिभागुणिया य बोधव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमोगाहणा भणिया ॥१॥" ચાર હાથ અને એક હાથના ત્રણ ભાગમાંથી બે ભાગ ઉપર એટલે ૪; હાથ મધ્યમ અવગાહના જાણવી.' અહીં વાદી પ્રશ્ન કરે છે કે–જઘન્ય પદથી સાત હાથ ઉંચી અવગાહનાવાળા જીવોની સિદ્ધિ આગમને વિષે કહી છે, માટે ઉપર કહેલી જ જઘન્ય સ્થિતિ થાય છે, પણ મધ્યમ સ્થિતિ કેમ થાય ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તીર્થકર ભગવાનની અપેક્ષાએ કરીને જઘન્ય પદથી સાત હાથની અવગાહના વાળાઓને સિદ્ધિ કહેલી છે અને સામાન્ય કેવળીની અપેક્ષાએ તેના કરતાં હીન પ્રમાણવાળાઓને પણ સિદ્ધિ થાય છે. આ સાત હાથની અવગાહનાનું માધ્યમ માન સામાન્ય સિદ્ધની અપેક્ષાએ ચિતવવું, જેથી કઈ જાતને દોષ આવશે નહીં. જઘન્ય અવગાહનાનું સ્વરૂપ “एगा य होइ रयणी, अट्ठेव य अंगुलाइ साहिया । ક્ષા વહુ સિદ્ધા, વન વોrળા મળિયા છે ? | એક હાથે અને આઠ આગળ ઉપર એટલે ૧૩ હાથની અવગાહના જળન્યથી સામાન્ય કેવળીની જાણવી.” ૧ આ અવગાહના બે હાથ પ્રમાણવાળા કુર્માપુત્ર વગેરેની જાણવી. અથવા સાત હાથ ઉંચા શરીરવાળા અને યંત્રપલણને લઈને સંકુચિત શરીરવાળાની પણ તે જઘન્ય અવગાહના જાણવી. તે ઉપર ભાષ્યકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ ભગવાન આ પ્રમાણે કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy