SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ શ્રી આત્મપ્રબંધ બત્રીશ આગમને જ પ્રમાણ માનવામાં કેની આશા છે? કદિ તેઓ કહેશે કે–તેવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રમાણે કરી અમો કહીએ છીએ તો તે કહેવું તદ્દન અયુક્ત છે. કારણ કે હાલ તેવા પ્રકારના જ્ઞાનનો અસંભવ છે. તેમ વલી આ કાળને વિષે શ્રી વીરવાણીમાં વિશ્રાંત થયેલા અને તેની પરંપરામાં ઉત્પન્ન થયેલા આશાને અનુસરે વર્તમાનકાળને વતતા સર્વ સિદ્ધાંતના લેખક મહાપકારી શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને સંમત જે સિદ્ધાંતે પુસ્તકરૂપે સ્થાપ્યા છે, તેમને ઉત્થાપન કરનાર તે જૈનાભાસને જિનાજ્ઞાનું વિરાધકપણું પ્રગટ રીતે પ્રાપ્ત થયું છે. તેમ જ આગમને વિષે પ્રમાણ કરેલા નિયુક્તિ, ચૂર્ણ, ભાષ્ય, વૃત્તિ પ્રમુખને ઉત્થાપન કરવાથી જિનાજ્ઞાનું વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થયેલું છે. તેઓ કહે છે કે- ભગવતીસૂત્રમાં આ પ્રમાણે લખ્યું છે “મુત્તો વહુ મો વો નિમ્નત્તિમસો મણિશો . ___ तइओ य निरवसेसो, एस विहि होइ अणुओगो ॥ १॥" વલી તે જૈનાભાસ કહે છે, કે-અમે ફક્ત શ્રી સૂત્રને અનુસારે પ્રરૂપણ કરીએ છીએ, તેથી નિયુક્તિ વગેરેનું શું કામ છે? તેના જવાબમાં કહેવાનું કે–તેમનું એ કહેવું તદન અયુક્ત છે. કારણ કે–સૂત્રના અતિગંભીર આશયને લઈને નિયુક્તિ આદિના પરિશાન વિના ઉપદેશ કરનારાઓને નય, નિક્ષેપ. દ્રવ્ય, ગુણ, પર્યાય, કાલ, લિંગ, વચન, નામ, ધાતુ અને સ્વર આદિનું પરિ– શાન થઈ શકતું નથી, પદે પદે મૃષાવાદાદિ દોષનો સંભવ છે. તેને માટે શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બીજા સંવરદ્વારને વિષે આ પ્રમાણે કહેલું છે " केरिसयं पुणाइ सच्चं नु भासिअव्वं जं तं दव्वेहिं पजवेहिं गुणेहिं कम्मेहिं बहु विहेहिं सप्पेहिं आगमेहिं नामक्वाय निवात उवसग्ग तद्धिय समास संधि पद हेउ जोगिय उणादि किरिया-विहाण धाउ सर विभत्ति वण्णजुत्तं तिकालं दस विहंपि सच्चं जह भणियं तह य कम्मुणा होइ दुवालसविहाय होइ सोलसविहं एवमरिहंत अणुन्नायं समक्खियं સંગgi #ામિ વિતવું” રૂસ્થાઢિ છે આવા કારણથી તે વિષે વધારે કહેવાની જરૂર નથી. વસ્તુગતિએ દુષ્ટ મિથ્યાત્વરૂપી પિશાચે તેમની કુદૃષ્ટિઓને ગ્રસેલી છે. તેથી તેઓએ ગ્રહણ કરેલ અસત્ પક્ષની પુષ્ટિને માટે અનેક પ્રકારની સ્વેચ્છાથી વર્તી તેઓ ઉસૂત્ર પ્રરૂપણું કરતા ઘણું લોકને વિષે ભાવસાધુની ઉપમાને ધારણ કરતા પોતાને અને મંદબુદ્ધિજનોને આ અપાર સંસારરૂપ સંસારમાં ડૂબાડે છે, તેથી તે સંસારરૂપ ૧. આને અર્થ સંક્ષીપ્તપણે આગળ લખવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy