SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ३६७ ચતુર્થ પ્રકાશ "अंबडस्स णं परिव्वायगस्स णो कप्पति अणउढिए वा अणउच्छियदेवणयाणि वा उणउच्छिय परिग्गहियाणि अरिहंतचेइयाणि वा वंदत्तिए वा नमंसित्तए वा जाव पज्जुवासित्तए वा णणत्थ अरिहंते वा अरिहंतचइयाणि वा" इत्यादि। અંબડ પરિવ્રાજકને જે કપતું નથી તેને માટે કહે છે કે- અન્યતીર્થીએને તથા અન્યતીર્થીઓના દેવોને તેમજ અન્યતીર્થીઓએ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્યને વંદન નમસ્કાર તથા પjપાસના કરવી તે વિષે. પરંતુ તેમાં આટલું વિશેષ છે કે- અરિહંત તથા અરિહંતની પ્રતિમાને વંદનાદિક કરવું કર્ષે છે. એ પ્રમાણે ઉપાસકદશાંગસૂત્રમાં પણ આનંદશ્રાવકને આધકારે જે કહેવામાં આવ્યું છે, તે તે સ્થલેથી જાણું લેવું. - વલી તે જૈનાભાસે કહે છે કે-“પ્રદેશી રાજાએ ચૈત્ય કેમ ન કરાવ્યા ?” તેનાં ઉત્તરમાં કહેવાનું કે–પ્રદેશી રાજા શ્રી જૈનધર્મની પ્રાપ્તિ કર્યા પછી કેટલે કાલ જીવ્યો હતો કે તે ચૈત્ય કરાવે? તેમ વલી સર્વ શ્રાવકો એક જ પ્રકારનું ધર્મકાર્ય કરે, એવો નિયમ કયાં છે ? તેથી સુદૃષ્ટિ પુરુષોએ સર્વ ધર્મકાયમાં સમ્યગદષ્ટિ વડે શ્રદ્ધા કરવી. પણ કૂદષ્ટિઓની જેમ શ્રી જિનક્તિ ધર્મકૃત્યને સ્વમતિ કલ્પનાએ નિષેધ કરવો નહીં. વલી શ્રી જબુદ્વીપપન્નત્તિમાં પ્રથમ જિનના નિર્વાણને સ્થાને સ્તૂપ કરવાના અધિકારમાં “નામ ધણી’ એવો પાઠ છે. અને તેને “જિનભક્તિથી ધમથી” એવો અર્થ થાય છે, તે ઉપરર્થી પણ સિદ્ધ થાય છે કે–આગમને વિષે સ્તૂપ નિર્માણની અંદર જિનભક્તિ કરવી કહેલી છે, તો પછી જિનચૈત્ય કરવા-કરાવવામાં જિનભક્તિ પ્રગટ જ છે. તેમાં શું સંદેહ કરે? તેમ જ મહાનિશીથસૂત્રમાં શ્રાવકોને આશ્રીને ચૈત્યનિર્માપણને અને સાધુએને આશ્રીને ચૈત્યવંદનાદિકનો અધિકાર પ્રગટપણે કહેલે છે. ધર્મના અર્થી પ્રાણીઓએ તે સ્વતઃ સમ્યદૃષ્ટિએ વિચારી લે. - વલી વ્યવહારસૂત્રમાં “નવ સન્મ માવા વાણિજ્ઞા તહેવ શાસ્ત્રોન્ના” એ પાઠમાં પણ ચિત્યની સાક્ષીએ આલેચના લેવી કહેલી છે, એમ કેટલાએક આગમનાં વચને દેખાય છે. ઘણું આગમને વિષે સ્થાપનાદિકનો અધિકાર વિદ્યમાન છે. તે જૈનાભાસ કહે છે, કે-“બત્રીશ આગમ પ્રમાણ છે, તેના સંબંધમાં કહેવાનું કે શ્રી નંદીસૂત્રને વિષે સાક્ષાત્ કહેલા આગમોનું ઉત્થાપન કરી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy