SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ શ્રી આત્મપ્રબોધ જેટલા પ્રમાણવાળી) દષ્ટિ વડે જોઈ જોઈ ગમન કરતાં તેના પગ નીચે કુલિગ (= કુકડા) આદિકનું બચ્ચું મરણ પામે તો પણ તેમને હિંસાના પરિણામને અભાવ હોવાથી ઈરિયાવહી પડિમવાની ક્રિયા હોય છે પણ સાંપરાયિકી ક્રિયા હોતી નથી. વગેરે તે અધિકારમાં જ છે. વળી જે પૂજામાં પુષ્પારંભ દેખાય છે, તે ઉપચારિક છે, પરંતુ ઉત્તમ સદ્દભાવે કરી તે આરંભનો પરિહાર થાય છે, તેમજ મુનિઓને નદી ઉતરતી વખતે જળ ઉપર કરુણના પરિણામ હોય છે, તેમ શ્રાવકને જિનપૂજામાં પુષ્પાદિક ઉપર કરુણાના પરિણામ હોય છે. એવી રીતે હિંસાનુબંધી ફિલષ્ટ પરિણામના અભાવે કરી સાધુની જેમ શ્રાવકને પણ દુષ્ટ કર્મનો બંધ થતો નથી. જેમ ચાઠું પડેલું હોય, તેના છેદન વખતે પ્રાણુઓને વેદનાને સંભવ છતાં અંતે મહાસુખની ઉત્પત્તિ થાય છે, તેમ પૂજાને વિષે પણ સ્વલ્પમાત્ર આરંભ છે છતાં પરિણામની શુદ્ધિને લઈને અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રશ્ન કરવામાં આવે કે- “જે પૂજાથી પરિણામની શુદ્ધિ અને તેથી અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થતી હોય તો સાધુઓ દ્રવ્યપૂજા કેમ નથી કરતાં ?” તેના ઉત્તરમાં કહે છે કે- “ગીઓને જેમ ઔષધોપચાર મહાન ઉપકારી થાય છે, તેમ દ્રવ્યપૂજા આરંભમગ્ન એવા પ્રાણુઓને મહાન ઉપકારી થાય છે, તેથી તે શ્રાવકને જ કરવા યોગ્ય છે. સર્વોરંભથી મુક્ત એવા સાધુઓને તે દ્રવ્યપૂજા યોગ્ય નથી. જે સર્વથા ની રેગી હોય તેને ઔષધ ઉપકારક નથી.” એ જ કારણથી શ્રી તીર્થકર ભગવાને તેમને અનુકંપા દાન કરવા વગેરેની આશા આગમમાં આપેલી નથી. વળી દશમા અંગમાં (શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના પહેલા આશ્રદ્વારમાં) ધર્માર્થ વગેરેને માટે હિંસા કરનારને મંદબુદ્ધિપણું કહેલું છે, તેનું રહસ્ય પણ આ જ છે. તેમજ સિદ્ધાંતમાં દેશવિરતિ શ્રાવકને બાલપંડિત કહેલ છે. એકાંતપંડિત કહેલા નથી. કારણ કે તેનામાં દેશથકી બાલપણું રહેલું જ છે, આવા કારણને લઈને સાંસારિક કાર્યોમાં પ્રવતતા એવા પુરુષોને દ્રવ્યપૂજાનો નિષેધ કેમ થાય ? એ વિવેકી પુરુષોએ વિચારી લેવું જોઈએ. અથવા તે યુક્તિ દૂર રહે, તથાપિ પાપ આચરનાર પુરુષોને આશ્રી તેનું મંદબુદ્ધિપણું કહેલું છે, બીજાને આશ્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy