SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ ૩૬૧ અહીં દયાના નામને વિષે “souT” શબ્દ તથા “પૂણા” શબ્દ કરીને દેવપૂજા ગ્રહણ કરેલી છે. કારણ કે યજ્ઞા ઈત્યાદિ વ્યુત્પત્તિ થાય છે. તે હવે તમે જિનપૂજાને હિંસામાં કેમ ગણે છે? વલી શ્રી સૂયગડાંગજીના બીજા ગ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં અથદંડના અધિકારમાં કહ્યું છે કે- “ ના મૂક” ઇત્યાદિ પાઠમાં નાગ, ભૂત, યક્ષાદિકની હેતપૂજાને વિષે હિંસાપણું કહેલ છે, પણ જિનપૂજામાં કહેલ નથી, કારણ કે જે જિનપૂજામાં હિંસા થતી હોત તો તે સૂત્રમાં વિન એ પાઠ કહત. પણ તે પાઠ ત્યાં આપેલ નથી, તેથી આ પ્રમાણે સૂત્રના વચન ઉત્થાપન કરી તમારું અંગીકાર કેમ કરાય? વલી તે જૈનાભાસે કહે છે કે- “જિનપૂજાને વિષે છ કાયના આરંભને સંભવ છે તેથી શ્રાવકોએ તેનું આચરણ કેમ કરાય?” તેના ઉત્તરમાં જણાવવાનું જે- જૈનધર્મનું અનેકાંતપણું હોવાથી સમ્યકુત્વવંત પુરુષોને તેવા એકાંતપક્ષનો આગ્રહ હોતો નથી, કારણકે શ્રી જ્ઞાતાધર્મકથા-છઠ્ઠા અંગને વિષે ત્રણ શાનવાળા શ્રી મલ્લિનાથ જિનેશ્વરે પિતાના છે મિત્રોને પ્રતિબંધ કરવા માટે સુવણની પુતલીમાં નિરંતર કવળને પ્રક્ષેપ કર્યો છે તથા સુબુદ્ધિ મંત્રીએ પોતાના સ્વામીને પ્રતિબંધવા માટે એક ખાઈના જળનું પરાવર્તન કરાવેલું છે. તેમ વલી આગમને વિષે ઘણું હાથી, ઘોડા, રથ અને પાયદલ પ્રમુખ પરિવાર સહિત કુણિકાદિક રાજાઓએ આચરેલ જિનચંદનાદિ મહોત્સવ સ્થાને સ્થાને સાંભળવામાં આવે છે. એ કાર્યોમાં ઘણું હિંસા થવાને સંભવ છે, પરંતુ તે લાભનું કારણ હોવાથી તેની ગણના હિંસામાં કરેલ નથી પણ તે લાભનું કારણ છે, એમ સમજવાનું છે. આ કારણથી એમ નિશ્ચય થયે કે- શ્રી જિનાશાને આશ્રી, સમ્યક યતનાએ કરી અને ભક્તિ કરી ઉત્તમ ક્રિયા કરવામાં હિંસાનો કોઈપણ દોષ નથી. “જ્યાં હિંસા ત્યાં જિનાજ્ઞા નથી” એમ જે કહે છે, તેને માટે એટલું જ કહેવાનું કે- જે એમ હોય તે સાધુઓને પ્રતિક્રમણ અને વિહારાદિકને વિષે પણ જિનાજ્ઞા ન હોવી જોઇએ. કારણકે તેને વિષે પણ હિંસાને સંભવ છે, માટે શ્રુતવ્યવહાર એ છે કે- જે લાભને માટે નિર્દોષ પરિણમવડે યતના પૂર્વક પ્રવર્તન છે તેવા પ્રસંગે તેવા પ્રકારનો કમબંધ નથી. આ વાત ભગવતીજીના અઢારમા શતકના આઠમા ઉદેશમાં વિવેચન કરી સમજાવી છે તે વિસ્તારથી જાણી લેવી. તે પ્રસંગમાં દર્શાવ્યું છે કે- ભાવિતાત્મા અનગાર યુગમાત્ર (= ગાડાંની ધૂંસરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy