SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ શ્રી આત્મપ્રબંધ તે તે દ્રવ્યપૂજાને અંતે “નમg in ગરિતાળ” ઈત્યાદિ શકસ્તવ ન ભણે. કારણકે શકસ્તવ કહ્યાને પાઠ આગમને વિષે સાક્ષાત્ દેખાય છે. તે છતાં એ જૈનાભાસો નિતંવરૂપે ખોટું બોલવાને કેમ સમર્થ થાય છે? વલી વૈમાનિક દેવતાઓ પોતાથી હીન પુણ્યવાલા એવા ચક્ષાદિકની પૂજા કેમ કરે? અર્થાત્ ન જ કરે. તેમ વલી જે દ્રૌપદી શ્રાવિકા ન હોત તો નારદ આવતાં અત્યુત્થાન પ્રમુખ કરતા પણ જે તેણીએ કર્યું નથી તેથી નિશે તે શ્રાવિકા જ હતી એમ સિદ્ધ થાય છે. વળી શ્રાવિકા વિના તેણીને નમુત્યુનું (શકસ્તવ) ની વિધિનું પરિણાન પણ ન સંભવે. એ પંડિતોએ વિચારી લેવું. વલી તે જૈનાભાસે કહે છે કે- “સૂર્યાભદેવે પોતાની રાજધાનીના મંગલિકને માટે જિનપ્રતિમા પૂછે છે. તેને માટે સૂત્રમાં એવા પ્રકારને પાઠ જ નથી, પરંતુ તેની કરેલી પૂજાને આશ્રીને– “દિયાસુખ, હેમાણ, નિરણેgિ , gifમવત્તા વિસરુ” એ પાઠ વિદ્યમાન છે અને ત્યાં નિઃશ્રેયસ શબ્દ મેક્ષવાચી છે, તે સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. વલી શ્રી અરિહંતના વચનમાં પણ અનુકમે પૂજાનું ફલા મોક્ષ પ્રરૂપેલું છે. તે જાણીને પછી સ્વેચ્છાવાદીઓના વિતથ વચનો ઉપર કેમ વિશ્વાસ રહે ? તેમજ પૂજાને આશ્રીને તે જનાભાસે કહે છે કે- “ભગવંતે હિંસાને તદ્દન નિષેધ કર્યો છે, તો પછી પૂજાનું આચરણ કેમ કરાય ?” તેના ઉત્તરમાં કહેવાનું કે- એ વચન કયે ઠેકાણે કહ્યું છે કે-હિંસા કરવી? હિંસાનો નિષેધ છે એ વાત સત્ય છે, પરંતુ ભગવંતે કથા આગમમાં જિનપૂજા નિષેધેલી છે? તે જણાવો. આગમને વિષે તે સત્તરભેદી પૂજા કરવાને કહેલું છે અને તે વાત કર્તવ્યરૂપે દર્શાવેલ છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રને વિષે પહેલા સંવરદ્વારમાં જે અહિંસા-દયાના સાઠ નામ આપ્યા છે, તેમાં પૂજાનું પણ નામ છે. જેમકે “निव्याणं १ निव्वुइ २ समाहि ३ संती ४ इत्याहि यावत् जण्णो ४६ आयतणं ४७ जयण ४८ मप्पमाओ ४९ आसासो ५० वीसासो ५१ अभओ ५२ सव्वस्सवि अनाघाओ ५३ पोक्ख ५४ पवित्ती ५५ सुइ ५६ पूया ५७ विमल ५८ प्पभासई ५९ निम्मलतरित्ति ६०" एवमाइणि निययगुणनिम्मियाई पज्जवनामाणि होति ॥ अहिंसाए भगवईए ति ।। ( profસારામ10ારા “qયા” પાન ટેવપૂના ગુણીતાપ્તિ ) , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy