SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી આત્મપ્રબંધ કેવલી તે અજિન કહેવાય છે. તે જિન ૧ નામજિન, ૨ સ્થાપનાજિન, ૩ દ્રવ્યજિન અને ૪ ભાવજિન- એમ ચાર પ્રકારે છે. તે વિષે આ પ્રમાણે કહ્યું છે नामजिणा जिगनामा ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥" જે શ્રી ઋષભ, અજિત અને સંભવ વગેરે જિન છે તે નામજિન કહેવાય છે. તે નામજિન સાક્ષાત્ જિનગુણ વર્જિત છે, તો પણ પરમાત્મગુણનું મરણ વગેરે કારણને લઈને પરમાથપણે સિદ્ધિને કરનાર હોવાથી સમ્યગ્દષ્ટિ પુરુષોએ તે સર્વકાલે સ્મરણ કરવા યોગ્ય છે. જેમ લેકને વિષે પણ મંત્રાલરના સ્મરણથી કાર્યની સિદ્ધિ દેખાય છે. રત્ન, સુવર્ણ, રજત આદિ ધાતુમય એવી કૃત્રિમ અને અકૃત્રિમ જે જિને શ્વરની પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય છે, તેને વિષે પણ જે કે સાક્ષાત જિનગુણ વિદ્યમાન નથી તે પણ તેમાં તાત્વિક જિનસ્વરૂપનું સ્મરણ થવાને લીધે તેના દર્શન કરનાર સમ્યગ્દષ્ટિ જીના ચિત્તમાં પરમશાંત રસનું ઉત્પાદક હોવાથી અને અધિજનને ઉત્તમ બધિબીજની પ્રાપ્તિનું હેતુ હોવાથી તેમજ શ્રી કેવલી ભગવાનના વચન વડે તેમાં જિનતુલ્યપણું હોવાથી શુદ્ધ માર્ગોનુસારી શ્રાવકોને દ્રવ્ય અને ભાવથી સર્વકાલે શંકા રહિતપણે તે સ્થાપનાજિન વંદનીય, પૂજનીય અને સ્તવનીય છે. અને મુનિઓને સર્વ સાવઘ યોગની નિવૃત્તિ હોવાથી તેમની ભાવપૂજા કરવી યોગ્ય છે. તે વિષે આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. કેટલાએક સાંપ્રતકાલે બુદ્ધિહીન શ્રી વિરપ્રભુની પરંપરાની બહાર વનારા, મિથ્યાત્વના ઉદયથી પરાભવ પામેલા, સ્વમતિકક્ષિત અને સ્થાપનારા અને શ્રી જિનેશ્વર પ્રરૂપેલા સ્યાદ્વાદ-અનેકાંતમાગને લેપનારા લોકોએ કુદષ્ટિને વિલાસ પ્રગટ કરેલે છે, તે લેકે જૈનાભાસ એટલે જૈનલક્ષણ રહિત છતાં જૈનના જેવો આભાસ બતાવનારા છે. તેઓ શ્રી પરમગુરુતીર્થકરના વચનને ઉથાપનારા હોવાથી અનંત ભવભ્રમણના ભયને અવગણું પિતે ગ્રહણ કરેલ અસત્યક્ષને સિદ્ધ કરવા માટે ભોળા લેકની આગળ ઉસૂત્રપ્રરૂપણ કરે છે તેઓ કહે છે કે-“ સ્થાપનાજિન શાનાદિ ગુણોથી શૂન્ય હોવાથી વંદના કરવા યોગ્ય નથી, તેમને વંદના કરવાથી સમ્યક્ત્વનો નાશ થાય છે. આગમને વિષે પણ તેમને વંદન કરવાનો અધિકાર કહ્યો નથી. આધુનિક લેકોએ પિતાનું માહાસ્ય પ્રગટ કરવાને માટે જિનચૈત્યની સ્થાપના કરેલી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy