SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ પરમાત્મ સ્વરૂપ અનુક્રમે આવેલા આ ચોથા પરમાત્મપ્રકાશનો પ્રારંભ કરવામાં આવે છે. પ્રથમ પરમાત્મતાના બે પ્રકાર છે. ૧ ભવસ્થપરમાત્મતા અને ૨ સિદ્ધસ્થપરમાત્મતા. તે પરમાત્માની પ્રાપ્તિને સૂચવનારી બે આર્યાઓ આ પ્રમાણે છે "क्षपकश्रेण्यारूढः कृत्वा घनघातिकर्मणां. नाशम् । आत्मा केवलभूत्या भवस्थपरमात्मता भजते ॥१॥" " तदनुभवोपग्राहक - कर्मसमूहं समूलमुन्मूल्य ।। ऋजुगत्या लोकाग्रं प्राप्तोऽसौ सिद्धपरमात्मा ॥२॥" ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલે આત્મા જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય-એ ચાર કર્મ કે જે આત્મગુણના ઘાતક હોવાથી ઘનઘાતી કહેવાય છે, તેને નાશ કરી લોકાલેકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાનની સંપત્તિ પ્રાપ્ત કરી તે વડે ભવસ્થ એવા પરમાત્મપણાને પામે છે. ૧ તે પછી તે આત્મા તત્કાલ કાલે કરીને એટલે ચૌદમાં ગુણઠાણના છેલા સમયમાં ભવગ્રાહી એટલે વેદનીય, આયુ, નામ અને નેત્રરૂપ ચાર કમ જે ભવપયત સ્થાયી છે, તે કર્મના સમૂહને મૂળમાંથી ઉખેડી નાંખી હજુગતિ એટલે સમયાંતર કે પ્રદેશાંતરનો સ્પર્શ ન કરીને લેકાગ્ર-સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી સિદ્ધ પરમાત્મપણાને પામે છે. ૨ અહીં ભવસ્થપરમાત્મપણાની સ્થિતિનું માન જન્યથી અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઉણી એવી પૂર્વ કેટિ વર્ષનું છે અને સિદ્ધપરમાત્માની સ્થિતિનું માન સાદિ અપયવસિત કાલનું છે. એવા પ્રકારની પરમાત્મતા જેને હોય છે તે પરમાત્મા કહેવાય છે. તે પરમાત્મા ભવસ્થકેવલી અને સિદ્ધ એમ બે પ્રકારે છે. તેમાં ભવસ્થ કેવલીનું સ્વરૂપ બતાવે છે. ભવસ્થ કેવલીનું સ્વરૂપ ભવસ્થકેવલીના પણ ૧ જિન અને ૨ અજિન એવા બે ભેદ છે. તેમાં જે જિનનામકર્મના ઉદયવાલા તીર્થકર તે જિન કહેવાય છે અને જે સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy