SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૩૫૭ વલી તેઓ કહે છે કે-“જિનબિંબની પૂજા વગેરે કરવામાં સાક્ષાત્ જીવહિંસા દેખાય છે અને જ્યાં જીવહિંસા હોય ત્યાં ધમ હોય જ નહીં. કારણકે-ધમ તો દયામૂલ જ કહ્યો છે. તેથી પોતાના સમ્યક્ત્વનું અક્ષયપણે રક્ષણ કરવાને ઇચ્છનારા પ્રાણીઓને તો શ્રી જિનપ્રતિમાનું દર્શન કરવું પણ અયુક્ત છે.” અહા કેવી અજ્ઞાનતા છે! પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે પીંપળા આદિ વૃક્ષના મૂલમાં સચિત્ત જલનું સિંચન કરવા પ્રમુખ આચરણ અને મિથ્યાત્વી દિવની પૂજા વગેરેમાં પ્રવર્તન એ કરવામાં સમ્યકત્વને નાશ થતો નથી. કારણકે સંસારીપણાને લઈને શ્રાવકેને એવા કાર્યમાં અધિકાર છે. આ પ્રસંગે સિદ્ધાંતના વચનોને અનસારી અદભત યુતિથી તેમના અસતુપક્ષને દૂર કરવા માટે ઉત્તરરૂપે વચનો કહેવામાં આવે છે. જે સ્થાપનાજિન છે તેનો જિનસ્વરૂપને સ્મરણ કરાવવા પ્રમુખ જે તાત્વિક હેતુ યુક્તિપૂર્વક પ્રથમ કહેવામાં આવ્યો છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સિદ્ધ થાય છે, તેથી તેમનામાં સર્વથા ગુણશૂન્યપણાને અભાવ હોવાથી તેનામાં વંદનાદિ કરવાની યોગ્યતા સાબિત થાય છે. તે સ્થાપનાજિનનું દશન વંદન વગેરે કરવાથી તત્કાલ શુભ દયાન પ્રગટ થતાં પ્રાણીઓને સમ્યકત્વની નિમલતા પ્રાપ્ત થાય છે. તેથી તે જૈનાભાસેએ સમ્યકત્વને નાશ થવાની જે યુક્તિ કહેલી છે તે સર્વથા મિથ્યાત્વની મૂલરૂપ છે. આ પ્રમાણે જાણી સમ્યગ્દષ્ટિ જીવોએ તે યુક્તિને આદર આપવો નહીં. વલી જે સ્થાનકમાં ચિત્રમાં આલેખેલી સ્ત્રી હોય તેવા સ્થાનકમાં સાધુઓને રહેવાનો નિષેધ આચારાંગસૂત્રમાં કહે છે, ચીતરેલી સ્ત્રી સાક્ષાત્ સ્ત્રીગુણથી વર્જિત છે, છતાં આકાર માત્ર કરી વિકાર ઉત્પન્ન થવાનું કારણભૂત છે, ત્યારે જે તેના દર્શનથી વિકાર ઉત્પન્ન થાય છે, તો પછી પરમશાંતરસવાળી સૌમ્યઆકારને ધારણ કરનારી શ્રી જિનપ્રતિમાના દર્શનથી પ્રબુદ્ધ પુરુષોને ઉત્તમ દયાન થવાનો સંભવ કેમ ન હોય? આવી રીતે સદબુદ્ધિવાળા પુરુષોએ વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. તે જેનાભાસ કહે છે કે- “આગમને વિષે જિનચૈત્યવંદનાદિકનો અધિકાર નથી, ચૈત્યસ્થાપન એ આધુનિક છે, પૂજામાં હિંસા થવાથી તે અધમ છે અને વૃક્ષ પીંપળા પ્રમુખને પાણી પાવું તથા મિથ્યાત્વીઓના દેવનું પૂજન કરવું એમાં સમ્યકૃત્વને વિનાશ થતો નથી. આ તેમના આલાપ ઉન્મત્ત માણસના આલાપના જેવા અયુક્ત છે. કારણકે–આગમને વિષે સ્થાને સ્થાને જિન ચૈત્યવંદન તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy