SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ તૃતીય પ્રકાશ જયદેવ હસીને બોલ્યો-“અરે પશુપાલ! એમ ચિતવવાથી કાંઈ મલતું નથી, પણ પ્રથમ તેની આરાધના કરવી જોઈએ. પહેલા ત્રણ ઉપવાસ કરી સંદયાકાલે તે રત્નને શુદ્ધ જલે નવરાવી, શુદ્ધ ભૂમિના ઊંચા પ્રદેશમાં સ્થાપી તેની ચંદન, કપૂર તથા પુષ્પાદિકવડે પૂજા કરી પછી નમસ્કાર કરી એ રત્નની આગલ પછી જે ઈષ્ટ હોય, તેનું ચિતવન કરવું, તો પછી પ્રાતઃકાલે તે પ્રાપ્ત થાય છે.” - જયદેવના આ વચન સાંભળી તે પશુપાલ પિતાના બકરાં અને મેંઢાના વૃદને વાળી ગામ તરફ ચાલ્યો. “ નિ આ મણિ આ હીનપુણ્યના હાથમાં રહેશે નહીં.” એમ ધારતો જયદેવ તેની પાછળ ચાલવા લાગ્યા. માગે ચાલતાં પશુપાલ તે મણિને ઉદ્દેશીને બોલ્યો- “અરે મણિ! હું આ બકરાં વેચી તે વડે ચંદનાદિ સામગ્રી લાવી તારી પૂજા કરીશ અને તારે પણ મારા ચિતિત કાર્ય સાધવામાં પૂર્ણ ઉદ્યમ કરે. વળી હે મણિ! હજુ અહીંથી ગામ દૂર છે, તેથી રસ્તામાં કાંઇ કથા કહે તે રસ્તો ખુટશે. જે કદિ કોઇ કથા તારા જાણવામાં ન હોય તો હું કહું છું તે સાંભળ કઈ એક હાથના પ્રમાણવાળું દેવગ્રહ છે, તેની અંદર ચાર ભુજાવાળે દેવ છે” આ પ્રમાણે તેણે વારંવાર કહેવા માંડયું, તો પણ તે મણિ કાંઈ પણ બે નહિ ત્યારે તે રોષાતુર થઈ આ પ્રમાણે બે -“ અરે મણિ! તું મારી વાતમાં હોંકારો પણ આપતો નથી. તે પછી વાંછિત આપવામાં તારી શી આશા રાખવી? અથવા તારુ નામ ચિંતામણિ છે. તે બરાબર છે, કારણ કે તારી પ્રાપ્તિથી મારા મનની ચિતા નાશ પામતી નથી. જે હુ છાશ વિના એક ક્ષણમાત્ર પણ રહી શકતો નથી તે હું તારે માટે કરાતા ત્રણ ઉપવાસ કરી મરણ જ પામું, એમાં શંકા નથી. એથી હું તો તેમ માનું છું કેઆ વણિકે મને મારવાને માટે જ તારું વર્ણન કરેલ છે. તેથી તું ચાલ્યા જા. ફરીવાર મારી દષ્ટિગોચર થઈશ નહીં.” આ પ્રમાણે કરી તે પશુપાલે મણિને ફેંકી દીધો આ વખતે આનંદિત થયેલા જ્યદેવે તત્કાલ તે ચિંતામણિને પ્રણામપૂર્વક ગ્રહણ કરી અને પિતાના મનોરથ પૂર્ણ થયેલા જાણે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં ચાલતા મહાપુર નામે એક નગર આવ્યું. મણિના પ્રભાવથી તે નગરમાં લક્ષ્મીને સમૃહ તેને પ્રાપ્ત થયું. તે વખતે નગરના સુબુદ્ધિ નામના શેઠે ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy