SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ શ્રી આત્મબેધ માતાપિતા બેલ્યા–“વત્સ ! એ ચિંતામણિની તે કલ્પના છે, પરમાર્થથી ચિતામણિરત્ન છે જ નહીં, માટે તું તારી ઇચ્છા પ્રમાણે બીજા રત્નનો વેપાર કર.” આ પ્રમાણે કહી તેમણે જયદેવને ઘણે અટકાવ્યું, તથાપિ જેણે ચિંતામણિરત્ન મેળવવાનો નિશ્ચય કરે છે એ તે હસ્તિનાપુરનગરમાંથી નીકળી ગયે. ઘણું ગામ, નગર, ખીણ, કબર, પાટણ અને સમુદ્રતીરે ગષણા કરતો તે અતિશય ફરવા લાગ્યા પણ કોઇ ઠેકાણે તેને ચિંતામણિરત્ન પ્રાપ્ત થયું નહીં. આથી ખેદાર થઈ આ પ્રમાણે ચિતવવા લાગ્યો-“શું ચિતામણિ રત્નની વાત સત્ય નહીં હોય ? કોઈપણ ઠેકાણે તે દેખાતું નથી અથવા તે મણિ શાસ્ત્રમાં દર્શાવેલ છે, એટલે તેનું અસ્તિત્વ ન હોય તે કેમ સંભવે ? શાસ્ત્રનું વચન અન્યથા હોય નહીં. તેથી કેઈ ઠેકાણે એ રત્નો હશે જ.” આ પ્રમાણે ચિતવી પાછો તે મણિની ખાણોમાં ફરી તેની શોધ કરવા લાગ્યો. તેવામાં કોઈ એક વૃદ્ધ પુરુષ તેને મળી આવ્યો. તેણે જયદેવને કહ્યું – અહીં એક મણિની મટી ખાણ છે, તે ખાણમાંથી પુણ્યવંત પુરુષો ચિતામણિરત્નને પ્રાપ્ત કરી શકે છે.” વૃદ્ધપુરુષના આવાં વચન સાંભળી જયદેવે તે ખાણમાં ચિંતામણિરત્નની ગવેષણ કરવા માંડી. તેવામાં એક મંદબુદ્ધિવાળા પશુપાલના હાથમાં વર્તુલાકાર પત્થર જોવામાં આવ્યું. શાસ્ત્રમાં કહેલા લક્ષણોથી તેને ચિંતામણિ જાણી જ્યદેવે તેની પાસે તેની માગણી કરી. પશુપાલ બે -“તારે આ વસ્તુનું શું કામ છે?” જ્યદેવ બોલ્યો“હું આ વસ્તુ ઘેર જઈ બાલકને રમવા આપીશ.” પશુપાલે કહ્યું- “ આવી વસ્તુ તો અહીં ઘણી છે, પિતાની મેલે તે શા માટે લઈ લેતો નથી ?" જયદેવે કહ્યું, “અત્યારે ઘેર જવાની મારે ઉત્કંઠા થઈ છે માટે મને સત્વર આપ, એટલે હું મારે ઘેર ચાલતો થાઉં. તને આ સ્થલે બીજા આવા પદાર્થો મલશે.” આવા જયદેવના વચન સાંભળીને પણ તે પશુપાલ પર પકારશીલ ન હાવાથી પીગળે નહીં અને તે રત્ન આપ્યું નહિ. પછી જયદેવે ઉપકારબુદ્ધિથી તેને આ પ્રમાણે કહ્યું – ભદ્ર! જે તારે મને આ રત્ન ન આપવું હોય તે તે તેની આરાધના કર. એ ચિંતામણિ રત્ન છે, તેની આરાધના કરવાથી તે તને વાંછિત ફલ આપશે.” પશુપાલ બોલ્યા- “જે આ સાચું ચિંતામણિરત્ન હોય તે તે મને બદરીને ચિતવેલા ફૂલ તથા કચકડાં શીધ્ર આપ.” પશુપાલના આ વચન સાંભળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy