________________
३४८
શ્રી આત્મપ્રબોધ તેમ વર્ષાદિક ઋતુમાં એ પ્રતિમા અંગીકાર કરાતી નથી અને પરિકમ પણ કરાતા નથી. પ્રથમની બે પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી તથા ચોથી એક એક વર્ષમાં હોય છે. બીજી ત્રણ અન્યત્ર બીજે વર્ષ અને પરિકમ પણ અન્યત્ર-બીજે વર્ષો થાય છે.
તે પ્રતિમાની પ્રતિપત્તિ આ પ્રમાણે છે- નવ વર્ષ કરીને પહેલી સાત પ્રતિમા સમાપ્ત કરાય છે, આઠમી આદિ ત્રણ પ્રતિમાઓ એકવીસ દિવસે સમાપ્ત કરાય છે અને અગીયારમી ત્રણ દિવસે પ્રાપ્ત થાય છે, અને તે અહેરાત્રિને અંતે છઠે કરવાથી બને છે અને બારમી પ્રતિમા રાત્રિ પછી અનંતર અઠમ કરવાથી થાય છે અને ચાર રાત-દિવસના પ્રમાણવાળી છે. અહીં બીજું ઘણું કહેવાનું છે પણ ગ્રંથવિસ્તારના ભયથી કહેવામાં આવ્યું નથી. તે પ્રવચન સારોદ્ધારમાંથી જાણું લેવું. આ પ્રમાણે સંક્ષેપથી ભિક્ષુની બાર પ્રતિમાનું સ્વરૂપ કહેવામાં આવ્યું,
અહેરાત્રિનું સંક્ષિપ્ત કૃત્ય “સુદ્ધારા સા: શ્રીનિવવનાનુણારતો નિત્યમ્ |
___ कुर्यात् क्रमेण सम्यक् स्वस्याहोरात्रकृत्यानि ॥१॥" “શુદ્ધ આચારવાળા સાધુએ હંમેશા શ્રી જિનવચનને અનુસરે અનુક્રમે પિતાના અહોરાત્રિના કૃત્યે સમ્યક્ પ્રકારે કરવા.” ૧
કૃત્યનો ક્રમ સાધુએ રાત્રિના પાછલા પહેરે જાગ્રતું થઈ મંદસ્વરે કરી સૂત્ર તથા અર્થના પરાવર્તન રૂપ સ્વાધ્યાય કરવો. જેથી આસપાસ રહેલા આરંભી લેકો જાગ્રત ન થાય. તે પછી જ્યારે તે પહેરને ચેથા અંશ બાકી રહે ત્યારે છ પ્રકારના આવશ્યક કરવા એટલે પ્રતિક્રમણ કરવું. ત્યારબાદ ઉત્કટ આસને રહી શરીરના પરિભેાગ્ય મુહપત્તિ આદિ ઉપકરણની વિધિપૂર્વક પડિલેહણા કરવી. તે પડિલેહણની સમાપ્તિ વખતે સૂર્યોદય થાય ત્યારે ઉપાશ્રયને પ્રમાશે. તે પછી વંદનાપૂર્વક આચાર્યાદિકને પૂછી તેમની આજ્ઞા વડે વૈયાવચ્ચ તથા સઝાયધ્યાન કરે. પણ તે પિતાની બુદ્ધિએ ન કરે. તેને માટે કહ્યું છે કે-“છઠ, અઠમ, ચાર, પાંચ, માસ, અર્ધમાસ અને મા ખમણ કરવા છતાં જે ગુરુવચનને અનુસારે ન કરે તેને અનંતસંસારી કહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org