SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૭ હેતરૂપ થાય છે એટલે સમ્યકત્વનું કારણભૂત થાય છે, તેથી જેમ ધીમાં આયુષ્યને ઉપચાર કરવામાં દોષ નથી તેમ કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી તે સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વના બીજી રીતે ત્રણ ભેદ. ઔપથમિક, ક્ષાયિક અને ક્ષયોપથમિક એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકાર પણ થાય છે. સમ્યકત્વના ચાર ભેદ. ઉપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને સાસ્વાદન-એવા સમ્યકત્વના ચાર ભેદ છે. સમ્યકત્વના પાંચ પ્રકાર ઉપલમિક, ક્ષાયિક, પશમિક, સાસ્વાદન અને વેદક–એમ સમ્યક્ત્વના પાંચ પ્રકાર પણ થાય છે. ૧. ઉપથમિક-ઉદીરણે કરેલા મિથ્યાત્વને અનુભવથી ક્ષય કરતાં અને નહીં ઉદીરણ કરેલા મિથ્યાત્વને પરિણામની નિમળતા વિશેષે કરી સર્વ પ્રકારે ઉપશમાવતાં–દબાવી દેતાં એટલે ઉદયમાં ન આવવા દેવારૂપ કરતાં જે ચૈતન્યનો ગુણ પ્રગટ થાય છે, તે ઉપરામિકસમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિને, ગ્રંથિભેદ કરનારને. અને ઉપશમશ્રેણિના પ્રારંભના કરનારને થાય છે. ૨. ક્ષાયિક–અનંતાનુબંધી કષાયની ચોકડીને ક્ષય થયા પછી અનંતરમિથ્યાત્વ, મિશ્ર સમ્યક્ત્વરૂપ ત્રણ જરૂપ દશનમેહનીયમનો સર્વથા ક્ષય થતાં આત્માને જે ગુણ ઉત્પન્ન થાય, તે ક્ષાયિકસમ્યકૃત્વ કહેવાય છે. આ સમ્યકૃત્વ ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને હોય છે. “ક્ષપકશ્રેણિ અંગીકાર કરનાર પુરૂષ આઠ વર્ષથી ઉપરાંત વયવાળ, વજષભનારા સંઘયણવાળે, અને સ્થાનને વિષે ચિત્ત આપનારે હોય છે, તે પુરૂષ સમ્યગ્દષ્ટિ અવિરતિ હોય, દેશવિરતિ હોય અથવા પ્રમત્ત-છઠા ગુણ-ઠાણાવાળા અથવા અપ્રમત્ત-સાતમ આઠમા ગુણઠાણાવાળામાંથી ગમે તે હોય તે ક્ષેપકક્ષેણ માંડે છે, એમ “ પ્રવચનસારોદ્ધાર” ગ્રંથને વિષે કહેલું છે. ૩. ક્ષયોપથમિક-ઉદય આવેલા મિથ્યાત્વને વિપાકના ઉદયે કરી વેદી ક્ષય કરે અને શેષ કે જે સત્તામાં અનુદય આવેલું હોય તેને ઉપશાંત કરે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy