SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી આત્મપ્રબંધ મિથ્યાત્વ મિશ્રપુંજને આશ્રીને રેકે અર્થાત ઉદયને અટકાવે. અને શુદ્ધ પુજને આથી મિથ્યાત્વભાવને દૂર કરી એટલે ઉદીરણા કરેલ મિથ્યાત્વને ક્ષય કરવાથી અને નહીં ઉદીરણ કરેલ મિથ્યાત્વનો ઉપશમ કરવાથી આત્માને જે ગુણ ઉત્પન્ન થાય તે ક્ષયપશામિકસમ્યકત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ શુદ્ધ-પુંજ લક્ષણવાળું છે, તે અતિશય નિર્મળ એવા વાદળાની પડે છે. તેથી તેમાં યથાવસ્થિત શુદ્ધ તત્વચિનું આચ્છાદન થતું નથી. એટલે તે આછાદન કરનાર ન હોવાથી તે ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. - અહીં શિષ્ય પ્રશ્ન કરે છે ઉપશમસમ્યક્ત્વ અને ક્ષોપશમસમ્યકત્વમાં તફાવત છે? કારણ કે, તે બંને સમ્યકત્વમાં કાંઈ વિશેષ જોવામાં આવતું નથી. તે બંનેમાં ઉદય આવેલ મિથ્યાત્વનો ક્ષય અને નહીં ઉદય આવેલ મિથ્યાત્વને ઉપશમ, એ કહેવામાં આવ્યું છે. ગુર ઉત્તર આપે છે તેમાં વિશેષપણું છે. ક્ષપશમસમ્યકત્વમાં મિથ્યાત્વના વિપાકનો અનુભવ નથી, પણ રક્ષાએ ઢાંકી રાખેલા અગ્નિના ધુમાડાની શ્રેણિની જેમ પ્રદેશને અનુભવ છે. અને ઉપશમસમ્યકત્વમાં વિપાક ઉદયથી તથા પ્રદેશ ઉદયથી સર્વથા મિથ્યાત્વનો અનુભવ નથી, માટે તે બંનેમાં એટલે તફાવત છે. ૪. સાસ્વાદન-પ્રથમ કહેલા ઉપશમસમ્યક્ત્વથી પડતા એટલે સમ્યકૃત્વથી પતિત થતાં તે વખતે સમ્યકત્વના આસ્વાદસ્વરૂપમય થવાય તે સાસ્વાદનસમ્યકૃત્વ કહેવાય છે. ઉપશમસમ્યક્ત્વથી પડતાં છતાં જ્યાં સુધી મિથ્યાત્વ ન પમાય ત્યાં સુધી સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તે સાસ્વાદન સમ્યકવિનો કાળ જઘન્ય એક સમયનો અને ઉત્કૃષ્ટ છે આવીનો છે. પ. વેદક–જેણે ક્ષપકશ્રેણિ અંગીકાર કરેલી છે. એવા પુરૂષને ચાર અનંતાનુબંધી અને મિથ્યાત્વ મિશ્રપુંજ (બે) ખપાવતાં અને લાપશમિક લક્ષણરૂપ શુદ્ધ પુજને ખપાવતા, તે શુક્ર પુંજને પુદગલને છેલ્લે પુદગલ ખપાવવાને ઉજમાળ થતાં તે છેલ્લા યુગલને વેદવારૂપ જે સમ્યકત્વ તે વેદકસમ્યકત્વ કહેવાય છે. તે સમ્યકવિ એક સમયનું છે. વેદકસમ્યકત્વ પામ્યા પછી અનંતર સમયે જ ક્ષાએકસમ્યકત્વ અવશ્ય પ્રગટ થાય છે. તે પાંચે સમ્યકત્વના કાળનો નિયમ કહે છે. "अंतमुहुत्तोवसमो छावलि सासाणवेअगो समओ । साहीयतित्ति सायर खइओ दुगुणो खओवसमो ।। १ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy