SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબંધ તે વિષે માગ તથા જવરનું દષ્ટાંત એક વટેમાર્ગુ માર્ગથી ભ્રષ્ટ થયો હોય, તે કોઈના બતાવ્યા સિવાય ભમતો ભમતો પતે તે જ ખરે માગે જેમ આવી જાય છે, તેવી રીતે નિસગસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કોઈ વટેમાર્ગુ માગથી ભ્રષ્ટ થતાં કાઈના બતાવવાથી ખરે માગે આવે તેવી રીતે અધિગમસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમ કઈ માણસને વર આવ્યો હોય તે પરિપક્વ સ્થિતિ થાતાં ઔષધના ઉપચાર વિના સ્વાભાવિક રીતે ઉતરી જાય છે તેવી રીતે નિસગ સમ્યકત્વ સમજવું અને જેમ કોઈને જ્વર ઔષધના ઉપચારથી ઉતરી જાય છે, તે અધિગમસમ્યકત્વ જાણવું. એવી રીતે પ્રાણીને મિથ્યાત્વરૂપ જ્વરના જવાથી સમ્યકત્વમાર્ગની પ્રાપ્તિ થાય છે અને તે નિસગ અધિગમરૂપ થાય છે. સમ્યક્ત્વના ત્રણ પ્રકાર કારક, રોચક અને દીપક એમ સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે. જે જીવને સમ્યક પ્રકારના અનુષ્ઠાનની ક્રિયાની પ્રવૃત્તિ કરાવે તે કારકસમ્યકત્વ કહેવાય છે. એટલે તે સમ્યકત્વમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ-નિમળતારૂપ સમ્યકત્વ પ્રગટ થતાં જીવસૂત્રમાં કહેવા પ્રમાણે ક્રિયા કરે છે, તેથી તે કારકસમ્યકૃત્વ કહેવાય છે. એ કારકસમ્યકત્વ વિશેષ નિમણ–ચારિત્રવાળાને જ પ્રાપ્ત થાય છે. માત્ર શ્રદ્ધાન એ રેચકસમ્યકૃત્વ કહેવાય છે. એ સમ્યકત્વમાં જીવને સમ્યક અનુષ્ઠાનની પ્રવૃત્તિ રુચે છે, પણ તે કરી શક્તો નથી. આ સમ્યકૃત્વ અવિરતિ સમ્યગ દષ્ટિ એવા કૃષ્ણ અને શ્રેણિક વગેરેને થયું હતું. જે જીવ પિતે મિથ્યાદૃષ્ટિ અથવા અભવ્ય એવા અંગારમર્દિક આચાર્યની જેમ ધર્મકથા વડે જિનેશ્વરના કહેલ છવ – અજવાદિ પદાર્થોને યથાર્થ રીતે પરને પ્રકાશે – દીપાવે તેથી તે દીપકસમ્યકૃત્વ કહેવાય છે. દીપક જેમ બીજાના અંધકારને દૂર કરે છે અને પિતાને પ્રકાશ કરતો નથી તેમ દીપકસમ્યક્ત્વથી બીજાને ગુણ થાય છે અને પિતાને ગુણ થત નથી, તેથી તે દીપકસમ્યકૃત્વ કહેવાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. જે જીવ પોતે મિથ્યાદષ્ટિ છે, તો પછી તેને સમ્યકત્વ શબ્દ શી રીતે ઘટે? એ વચનનો વિરોધ આવે છે. ગુરુ ઉત્તર આપે છે. “ શિષ્ય, એમ કહે નહીં. તે જીવને મિથ્યાદષ્ટિપણું છતાં પણ તેનામાં જે પરિણામવિશેષ છે, તે નિત્યે પ્રાણુને ધમ પમાડવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy