SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ તેમ તેમને કહેલો ધર્મ પ્રમાણભૂત ગણાતો નથી; કારણ કે, તેઓ સર્વશના વચનને અનુસારે ધમને કહેતા નથી, જે સર્વજ્ઞના વચનને અનુસારે કહેવામાં આવે તે જ ધમ ગણાય છે. તેથી કેવળી પ્રરૂપિત ધર્મ જ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે સમ્યક પ્રકારની શુદ્ધ રૂચિ-શ્રદ્ધા હોય તે વ્યવહારસમ્યકત્વ કહેવાય છે. કારણ કે, વ્યવહારનયનો મતપણું પ્રમાણ જ છે. તે વ્યવહારનયના બળથી જ તીર્થની પ્રવૃત્તિ છે. જે તે નયને પ્રમાણભૂત ન માનીએ તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે "जइ जिणमयं पवजह, ता मा ववहार निच्छयं मुयह । ववहारनउच्छेए तिथ्थुच्छेओ जउवस्समिति" ॥१॥ જે તમારે જિનમત અંગીકાર કરવો હોય તો તમે નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને છોડશે નહીં. તેમાં વ્યવહારનયને છોડવાથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે.” (૧) સમ્યકત્વના બીજા બે પ્રકાર પુદગલિક અને અપુદ્ગલિક એમ પણ સમ્યક્ત્વના બે ભેદ પડે છે. જેમાં મિથ્યાસ્વભાવ ગયો હોય અને સભ્યત્વના પુંજમાં રહેલા પુદ્ગલેના વેદવારૂપ ક્ષપોપશમ પ્રાપ્ત થાય, તે પુદ્ગલિકસભ્યત્વ કહેવાય છે. સર્વથા મિથ્યાત્વ, મિશ્ર સમ્યકત્વ પુજના પુદ્ગલેનો ક્ષય થવાથી તથા ઉપશમથી ઉત્પન્ન થયેલ જે નિકેવલ જીવ પરિણામરૂપ ક્ષાયિક તથા ઉપશમસમ્યકત્વ તે અપુદગલિકસમ્યકત્વ કહેવાય છે. અર્થાત પુદગલેનું વેદન સ્વરૂપ તે પુદગલિકસમ્યકત્વ અને ક્ષયોપશમ કરવાથી જે જીવના પરિણામ તે અપુદ્ગલિકસમ્યકત્વ એમ સમજવું. સમ્યક્ત્વના બીજા બે પ્રકાર. વળી નિસગ અને અધિગમ એમ બે પ્રકારે પણ સમ્યકત્વ કહેવાય છે. તીર્થકર તથા ગણધર વગેરેના ઉપદેશ સિવાય સ્વાભાવિક કર્મના ઉપશમ ક્ષયપણથી જે સમ્યકત્વ પ્રગટ થાય તે નિસંગસમ્યકત્વ કહેવાય છે. શ્રી તીર્થકર ગણધર વગેરેના ઉપદેશથી તથા જિન પ્રતિમા દેખવાથી અને બીજા શુભ બાહ્યનિમિત્તના આધારથી કમનો ઉપશમ–ક્ષય થતાં જે સમ્યક્ત્વ થાય તે અધિગમસમ્યકત્વ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy