SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ શ્રી આત્મપ્રાધ જાણું કહ્યું- “પુત્રી ! આ તારા ઉદરનો ગર્ભ પ્રાણને હરનારે છે, માટે તેને પાડી નાંખવો યોગ્ય છે.” વેશ્યાએ કહ્યું- “હું ગમે તેટલા કલેશ સહન કરીશ પણ મારા ગર્ભનું કુશલ થાઓ.” પછી જ્યારે યોગ્ય અવસર આવ્યો, એટલે તેણીએ પુત્ર અને પુત્રીના યુગલને જન્મ આપ્યો. આ વખતે તેણુની માતાએ કહ્યું- “પુત્રી ! આ છોકરાં તારા યૌવનને હરનારા છે, તેથી આ યુગલને વિષ્ટાની જેમ ત્યજી દઈ તારી આજીવિકાના સાધનરૂપ એવા ચૌવનવયનું રક્ષણ કર.” માતાનાં આ વચન સાંભળી તે વેશ્યા બેલી- “માતા ! જ્યારે આપ કહો છે તેમ હોય તો દશ દિવસ સુધી રાહ જુઓ, પછી તમે જેમ કહેશે તેમ હું કરીશ.” આ પ્રમાણે કહી તે કુબેરદત્તા વેશ્યા પોતાના તે બાળકોને દશ દિવસ સુધી સ્તનપાન કરાવવા લાગી, જ્યારે અગીઆર દિવસ આવ્યા એટલે તેણીએ પિતાના બાળકનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામ પાડયાં. પછી તેમના એ નામથી અંકિત એવી બે મુદ્રા કરાવી તેમની આગલીઓમાં પહેરાવી અને તેમને એક લાકડાની પેટીમાં મૂકી બંનેને સાયંકાલે યમુના નદીના પ્રવાહમાં વહેતા મુક્યા. જલના પ્રવાહમાં વહેતી તે પેટી અનુક્રમે સૂર્યોદય વખતે શૌયપુર નગરને દરવાજે આવી. તે વખતે કોઈ બે શેઠના પુત્રો ત્યાં સ્નાન કરવા આવેલા. તેમણે એ પેટી જોઈ અને તત્કાલ તેને ગ્રહણ કરી ઉઘાડી. ત્યાં બંને બાળકો તેમના જેવામાં આવ્યા. તેમાંથી એકને પુત્રની ઈચ્છા હતી. તેણે પુત્ર લીધો અને એકને પુત્રીની ઇચ્છા હતી તેણે પુત્રી લીધી. તેઓ બંનેને લઈ પોતપોતાને ઘેર આવ્યા અને તે સંતાનો પોત–પિતાની સ્ત્રીને આપ્યા. તેમની મુદ્રાના લેખ પ્રમાણે તેમના નામ રાખ્યા, કેટલેક કાળે તે બંને બાળકો એકઠા થયા ત્યારે તે શેઠીયાઓએ પિતાને સ્નેહસંબંધ જાળવવાને માટે તે બંનેનો વિવાહ સંબંધ જોડી દીધો મોટી ધામધૂમથી તેમને લગ્નોત્સવ કરવામાં આવ્યું. તે બંને દંપતી એક વખતે એકાંતે સોગઠાબાજીની કીડા કરતા હતા તેવામાં કુબેરદત્તના હાથમાંથી મુદ્રા નીકળી પડી અને તે કુબેરદત્તાની આગલ પડી. કુબેરદત્તાએ તે હાથમાં લીધી, તેમાં રહેલ નામ વાંચી અને તે પોતાની મુદ્રા સાથે મેળવવા માંડી. તેવામાં તે બંનેને સરખો ઘાટ અને સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy