SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ તૃતીય પ્રકાશ આકૃતિ જોઈ તેણીના મનમાં શંકા ઉત્પન્ન થઈ આવી અને કુબેરદત્ત વખતે પિતાનો ભાઈ હશે એમ નિશ્ચય થવા માંડે. આ પ્રમાણે નિશ્ચય થતાં જ તેણીએ મુદ્રા કુબેરદત્તના હાથમાં પહેરાવી દીધી. તેને જોતાં જ કુબેરદત્તના મનમાં પણ શંકા થઈ આવી અને કુબેરદત્તા પિતાની બહેન હશે, એ તેણે નિશ્ચય કર્યો. આથી તેના મનમાં અત્યંત ખેદ ઉત્પન્ન થયે. પછી બંને એકત્ર થઈ વિચાર કરી પિતાના વિવાહના કાર્યને અકાર્ય માની તે સંદેહ દૂર કરવાને પોતપિતાની માતાને સેગન આપી અતિશય આગ્રહથી પૂછવા લાગ્યા. જ્યારે તેમને અતિ આગ્રહ દેખાય, એટલે તે માતાએ પેટીની પ્રાપ્તિથી આરંભીને બધો વૃત્તાંત તેમની આગલ નિવેદન કરી દીધો. આ વખતે કુબેરદત્તે પ્રશ્ન કર્યો કે- “ તમેએ અમોને યુગલ જન્મેલા જાણતાં હોવા છતાં આવે લગ્નસંબંધ કેમ કર્યો? તમારે આવું અકાય કરવું જોઈતું ન હતું. તે માતાએ કહ્યું, “તમારા જેવી રૂપ, ગુણ અને શીલમાં મલતી બીજી જેડી ન મલવાથી અમોએ આ સંબંધ જોડયો છે, છતાં જે તમારા મનમાં તે વિષે ખેદ રહેતો હોય તો હજુ કાંઈ બગડી ગયું નથી, કારણ હજુ તમારું માત્ર પાણિગ્રહણ જ થયું છે, કાંઈ મિથુન થયું નથી, તેથી તમે ખેદ પામશે નહીં. તમને ફરીવાર બીજા ગ્ય જોડાં સાથે પરણાવીશું.” માતાનાં આ વચન સાંભળી કુબેરદત્ત – “તમો કહો છે, તે યથાર્થ છે, પણ હાલ હું વેપારને માટે વિદેશમાં જવા ઇચ્છા રાખું છું, માટે મને આજ્ઞા આપો.” માતાપિતાએ કુબેરદત્તને આજ્ઞા આપી. પછી કુબેરદત્ત પિતાની બહેનને આ વૃત્તાંત જણાવી ઘણું કરીયાણું લઈ પરદેશ ચાલ્યા ગ. કર્મયોગે તે પોતાનું વતન જે મથુરાનગરી હતી તેમાં આવી ચડ્યો. ત્યાં પિતે વ્યાપાર કર્મ કરવા લાગ્યું. એક દિવસે તેની માતા પેલી કુબેરસેના વેશ્યા તેના જોવામાં આવી, તેણીને ઘણી સુંદર જોઈ કુબેરદત્ત કામવશ થઈ ગયે. તત્કાલ ઘણું દ્રવ્ય આપી તેણની સાથે તેણે વિષયભોગ ભેગવ્યો. એવી રીતે કેટલાક વખત વિષયભેગ ભેગવતાં તેણીને એક પુત્ર ઉત્પન્ન થયો. અહીં શૌયપુરમાં કુબેરદત્તાએ જ્યારે પોતાની માતા પાસેથી પિતાને વૃત્તાંત સાંભળ્યું, એટલે તેણીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે, તત્કાલ તેણીએ કઈ સાવીને વેગ થતાં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંયમને પ્રાપ્ત કરી તેણુએ એવો તપ આચર્યો કે જેથી નિમલ અધ્યવસાયને લઈને તેણીને અલ્પ સમયમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy