SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી આત્મપ્રબંધ તત્વ પણ આ છે, સાર પણ આ છે, અને દ્વાદશાંગીને પણ એ જ ભાવાર્થ છે કે જે ભવભ્રમણામાં સહાયભૂત એવા કષાય છે, તે ત્યાગ કરવા યોગ્ય છે.” ૧ એવી રીતે ક્ષાયજયરૂપ સંયમનું સ્વરૂપ જાણવું. - દંડવિરતિ સ્વરૂપ હવે ત્રણ દંડની વિરતિનું સ્વરૂપ કહે છે. ઉપર કહેલા ચાર કષાયોના જિતનારા મુનિ મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરમે છે. અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. અહીં આગમમાં કહેલા વિધિ પ્રમાણે તે અશુદ્ધ ક્રિયાથી નિવૃત્ત થયેલા અને શુદ્ધ ક્રિયામાં પ્રવતેલા એવા મન, વચન તથા કાયાના લક્ષણવાળા જે વ્યાપાર તે ત્રણ ગુપ્તિ કહેવાય છે. તેમાં વાનરની જેમ ચિતવાતું એવું જે મન, તેની ચંચળતા ઘણી છે, તેને માટે કહ્યું છે કે "लंघइ तरुणो गिरिणो य लंघए लंघए जलनिहिं वि । भमइ सुरासुरठाणे, एसो मणमक्कडो होइ ॥ १ ॥" મનરૂપી મર્કટ વૃક્ષને ઓળગે છે, પવને અને સમુદ્રોને ઓળગે છે અને સુર અને અસુરોના સ્થાનમાં ભમે છે.” ૧ એ જ કારણથી તે મન મુનિઓને પણ દુય છે. અને સર્વ કર્મોને બાંધવામાં મુખ્ય કારણ છે. તેથી તેને વમન કરવાને ઈચ્છતા એવા મુનિઓએ બહુપ્રકારની અસદભાવના પરિહરીને બાર પ્રકારની સદભાવનાને વિષે ઉત્તમ પ્રકારે વિશેષ આદર કરો. તેમ કરવાથી તેનું ચંચળ ચિત્ત પણ સુખે કરીને વશવર્તી થાય છે. એ મને ગુપ્તિ કહેવાય છે. બીજી વચનગુપ્તિને ચિતવત એ સાધુ સઝાયધ્યાનના સમય સિવાય બીજે અવસરે ઘણુ કરીને મૌનપણુ ધારણ કરીને રહે છે અને ભ્રકુટી તથા હસ્તાદિકની સંજ્ઞા પણ કરતો નથી. કદિ કેઈ તેવું કાર્ય આવી પડે તો તે સત્ય તથા અસત્યામૃષા વચન બેલે છે. એટલે કે જે વસ્તુ “રવિદાસા' એટલે વસ્તુ સ્થાપવાના આશયથી બોલાય છે તે સત્ય કહેવાય છે. જેમકે “જીવ છે, જીવ કર્તા છે, કર્મનો ભક્ત છે. ઇત્યાદિ” જે “ઇતિહાસ વિના' એટલે આશય સ્થાપ્યા વિના બેલે, તે અસત્ય અમૃષા કહેવાય છે. આમંત્રણ તથા આશાપનાદિ–અણાવવા પ્રમુખ, જેમકે- દેવદત્ત! આ કાર્ય તું કર” ઈત્યાદિ. અહીં તે જ સત્ય છે, જે સાંભળનારને પ્રિય-નિરવઘ હોય તેવું જ વચન બોલે, તેથી -અપ્રિય અને સાવદ્ય હોય તે કદિ સાચું હોય તો તેનાથી ક્રોધની ઉત્પત્તિતથા જીવઘાતાદિ ઘણ અનર્થોનું તે કારણ હોવાથી તેમજ અસત્યપ્રાય હોવાથી તેને પરિહાર કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy