SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રધ એ ચાર ધ્યાનમાં ધર્મધ્યાન તથા શુકુલધ્યાન–એ બે નિરાના હેતુ હોવાથી અત્યંતરતરૂપ સમજવા અને આત તથા રૌદ્ર એ બે બંધના હેતુ છે, નિજેરાને હેતુ નથી તેથી તે તરૂપ નથી, માટે ઉત્તમ બુદ્ધિવાલા પુરુષોએ આત તથા રૌદ્ર બંને દયાનનો પરિહાર કરવો. અન્યથા નંદ મણિઆર તથા કંડરીકાદિની જેમ મહાદુઃખની પ્રાપ્તિ થાય છે. ૫ જે કે ચિત્તનું અતિચંચલપણું હોવાથી મનુષ્ય ઉધ્યાનને પામે છે તો પણ વીર પુરુષોએ પ્રસન્નચંદ્રાદિકની પેઠે તે દુર્યાનને નિવારવા માટે આત્મવીયને ઉલ્લાસ પ્રકટ કરો-વીય ફેરવવું અને શુભધ્યાનનો વિચ્છેદ ને થાય, તેને અભ્યાસ કરે. ૬ ઉત્સગ એટલે ત્યાજ્ય વસ્તુને સમ્યક્ પ્રકારે ત્યાગ કરવો તે. તે ઉત્સર્ગ બે પ્રકારે છે. ૧ બાહ્ય અને ૨ અત્યંતર. બીજા અત્યંતર ઉસગમાં ક્રોધાદિક કષાયનો ત્યાગ કરવાનો છે. અહીં પ્રશ્ન થાય છે કે-ઉત્સર્ગ પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે, તે પછી ફરીવાર કહેવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે–એ સત્ય છે, પરંતુ પૂર્વે અતિચારની શુદ્ધિને માટે કહેલ છે અને અહીં તો સામાન્યથી નિર્જરાને માટે કહેલ છે. તેથી તેમાં પુનરુક્તિને દોષ આવતો નથી. આ છ પ્રકારનો તપ લોકોથી અણુઓળખાતું હોવાથી, અન્ય મતવાળાઓએ નહીં સેવાતો હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગપણે રહેલ તેથી આત્યંતર કમને તપાવનાર હોવાથી તે આત્યંતર તપ કહેવાય છે. એ પ્રકારે તપનું સ્વરૂપ કહેવામાં આવ્યું. ૫ સંયમનું સ્વરૂપ સંયમ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- અટલે સમ્યક પ્રકારે ગમ એટલે સાવદ્ય વેગથી નિવૃત્ત થવું, તે સંયમ કહેવાય છે. તેના સત્તર ભેદ છે. પાંચ પ્રાણાતિપાતાદિથી વિરમવું અને પંચ મહાવ્રતનું ધારણ કરવું તે-તેમના વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧ ત્રસ સ્થાવરાદિ સર્વ જીવોને મન, વચન, કાયાએ કરી પિતે હણે નહીં, બીજાની પાસે હણાવે નહીં અને હણનારને અનુમે દે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy