SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી આત્મપ્રબોધ વળી પિતે સ્વાધ્યાય કરતા અને બીજાને કરાવતા એવા મુનિઓએ પ્રથમ સેળ વચનો અવશય જાણવા જોઈએ. તે સેળ વચન શ્રી અનુયોગદ્વારાદિ સૂત્રોમાં આ પ્રમાણે આપેલાં છે. ૩ લિંગ, ૩ વચન, ૩ કાલ, ૧ પક્ષ, ૧ પ્રત્યક્ષ, ૪ ઉપનય–અપનય અને ૧ અધ્યસ્થ–એ સોળ વચનો કહેવાય છે. ૩ લિંગ ત્રણ છે - ૧ પુરુષલિંગ. ૨ સ્ત્રીલિંગ અને ૩ નપુંસકલિંગ. ૩ વચન - ૧ એકવચન, ૨ દ્વિવચન અને ૩ બહુવચન. ૩ કાલ – ૧ અતીત, ૨ અનાગત અને ૩ વર્તમાન. ૧ પક્ષ – તે નિદેશવચન. ૧ પ્રત્યક્ષ - એટલે “આ,” પ્રત્યક્ષવચન. ૪ ઉપનય-અપનય - ચાર પ્રકારે છે. જે પ્રશંસાવચન તે ઉપનય વચન. જેમકે “આ રૂપવતી સ્ત્રી છે.” જે નિંદાવચન તે અપનય વચન છે. જેમકે “આ સ્ત્રી રૂપવતી છે, પણ દુઃશીલવાળી છે.” અપનય–ઉપનય એટલે નિંદા કરીને પ્રશંસા કરવી તે. જેમ કે- “આ સ્ત્રી પુરૂષા છે પણ સુશીલવતી છે.” ૧ ચિત્તમાં બીજું ધારણ કરીને છેતરવાની બુદ્ધિએ બીજું કહેવા ઈચ્છતાં છતાં પણ જે ચિત્તમાં છે તે તત્કાલ બોલી નાખે તે અધ્યસ્થ વચન કહેવાય છે. જેઓ આ સોળ વચનના અજ્ઞાત હોઈ સૂત્રવાચનાદિમાં પ્રવર્તે છે, તે મૂઢ જિનવચનને ઉલ્લંઘન કરનારા હોવાથી જિનાજ્ઞાના વિરાધક છે, એમ સમજવું. તેથી ઉત્તમ મુનિઓએ પ્રથમ કહેલા વિધિથી પરિજ્ઞાનપૂર્વક સૂત્ર અર્થને સ્વાધ્યાય કરવો. ૪, ધ્યાન અંતમુહૂત માત્ર કાલ સુધી ચિત્તનો એકાગ્ર અયવસાય કરવો તે દયાન કહેવાય છે. તે ધ્યાન ચાર પ્રકારનું છે. ૧ આd, ૨ રદ્ર, ૩ ધમ અને ૪ શુકુલ. તેમાં આદધ્યાન ચાર પ્રકારે છે. ૧ ઈષ્ટવિયેગ, ૨ અનિષ્ટ સંયેગ, ૩ રોગચિંતા અને ૪ અગ્રણેચ વિષય. ૧ ઈષ્ટ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ લક્ષણવાળા વિષયોનો જે વિયેગ, એટલે “આ મને કદિ પણ ન થાઓ” ઇત્યાદિ ચિતવવું તે ઇષ્ટ વિયાગ નામે પહેલું આતધ્યાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy