SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૯ અલ્પકૃતને યોગ્ય હોય તેને અધિકહ્યુતનું દાન દેવું. ૧૦ પાછા ઈચ્છતાને કલુષિત હૃદયે ગ્રહણ કરવું તે, ૧૧ અકાલે સ્વાધ્યાય કર. ૧૨ કાલે સ્વાધ્યાય ન કરો તે. ૧૩. સ્વાધ્યાયને અવસરે સ્વાધ્યાય ન કરે, ૧૪ સ્વાધ્યાય ન કરવો હોય ત્યારે સ્વાધ્યાય કરો. એ ચૌદ અતિચારનું સ્વરૂપ વિશેષપણે આવશ્યકાદિ સૂત્રોથી જાણી લેવું. આ ચૌદ અતિચારેને વજી સ્વાધ્યાય કરનારા મુનિઓને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જે આ અતિચારેનો ત્યાગ કર્યા વિના સ્વાધ્યાય ધ્યાન કરવામાં આવે તો હીનાક્ષર દોષને કરનારા એક વિદ્યાધરની પેઠે વિદ્યાની નિષ્ફળતા પ્રમુખ મહાદોષે ઉત્પન્ન થાય છે. તે વિદ્યાધરનું દૃષ્ટાંત એક વખતે રાજગૃહ નગરને વિષે તેની પાસે આવેલા ઉદ્યાનમાં શ્રી વિરપ્રભુ સમેસર્યા. તે સમયે સ્વામીના આગમનની વાર્તા સાંભળી જેનું ચિત્ત સંતુષ્ટ થયેલું છે, એવા શ્રેણિક રાજા અભયકુમાર વગેરેને લઈ ત્યાં આવ્યો, તે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી ઘણું દેવ અને અસુરકુમારાદિ તથા વિદ્યાધર અને મનુષ્યના સમૂહે વિરાજિત એવી સભામાં યોગ્ય સ્થાને બેઠે. ધર્મને સાંભળી પર્ષદા પુનઃ પોતપોતાને સ્થાને ગઈ. તેવામાં કોઈ વિદ્યાધર આકાશમાગે ઉડી જતો હતો, તે તત્કાલ પૃથ્વી પર પડી ગયે. વિદ્યાધરને પૃથ્વી પર પડતો દેખી શ્રેણિક રાજા વિસ્મય પામ્યો અને તત્કાલ તેણે પ્રભુને તેના પડવાનું કારણ પૂછ્યું. પ્રભુએ કહ્યું કે-“રાજન ! આ વિદ્યાધર ગગનગામિની વિદ્યાનો એક અક્ષર ચુકી ગયે, તેથી તેનો અધપાત થયો છે તે હવે આકાશમાર્ગે જવાને સમર્થ થવાનો નથી.” આ વખતે શ્રેણીક રાજાની પાસે રહેલે મંત્રી અભયકુમાર પ્રભુનાં વચન સાંભળી તત્કાલ બેઠો થયે અને તેણે ત્યાં જઈ વિદ્યાધરને કહ્યું, “હે વિદ્યાધર! તું વિદ્યાના એક અક્ષરથી ભ્રષ્ટ થયું છે, જો તું મને એ વિદ્યા આપે તે હું તને તે અક્ષર આપું.” વિદ્યાધરે અભયકુમારનું તે વચન અંગીકાર કર્યું. પછી વિદ્યાધરને એક અક્ષર આપી તેણે તેની પાસેથી આકાશગામિની વિદ્યાગ્રહણ કરી. પછી વિદ્યાધર પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી આકાશમાગે ચાલ્યા ગયે અને અભયકુમાર અનુક્રમે પિતાને સ્થાને આવ્યો. આ વિદ્યાધરના દષ્ટાંતને લેશ સાંભળી મુનિઓએ પૂર્વે કહેલા દોષોને ત્યાગ કરવા યત્ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy