SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૦ ૦ * શ્રી આત્મપ્રબંધ તેના બે ઉરુ છે, ઉપાસદશાંગ તથા અંતગડદશાંગ તે તેના પીઠ અને ઉદરરૂપ બે ગાત્ર છે, અનુત્તરોવવાઈદશાંગ તથા પ્રશ્નવ્યાકરણ એ બે તેના હાથ છે, વિપાકસૂત્ર તે ગ્રીવા અને દૃષ્ટિવાદ મસ્તક છે. આ પ્રમાણે પ્રવચન પુરુષના તે સૂત્રો બાર અંગ રૂપ છે. હવે જે અંગબાહ્ય તે આવશ્યક છે. તે ઉપાંગે, પન્ના આદિ ભેદથી અનેક પ્રકારનું છે. દીક્ષા ગ્રહણ કરનારને એટલે વર્ષે જે સૂત્રની વાચના ગ્રહણ કરવા યોગ્ય હોય છે તે સ્વરૂપ વ્યવહારસૂત્ર માંહેલી ગાથાવડે દર્શાવે છે. સંવસરાદિકાલના અનુક્રમે કરી જે જે કાલ પ્રાપ્ત થાય તે તે કાલે ધીરપુરુષ વાચન લે છે, તે કાલ આ પ્રમાણે છે. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળે આચારક૯૫ નામના અધ્યયન સુધી વાચના લે છે. ચાર વર્ષવાળે સૂયગડાંગ નામે બીજા અંગ સુધી અને પાંચ વર્ષને દીક્ષિત દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની વાચના લઈ શકે છે. અહીં આચારકલ્પ એટલે નિશીથસૂત્રનું અદયયન સમજવું. આઠ વર્ષના દીક્ષા પર્યાચવાળો પુરુષ શ્રી સ્થાનાંગ અને ચોથું સમવાયાંગ વાંચી શકે છે. દશ વર્ષના પર્યાયવાળાથી શ્રી ભગવતીજી વાંચી શકાય છે. અગીઆર વર્ષના પર્યાયવાળાથી ખુફિયાવિમાણવિભરી આદિ પાંચ અધ્યયન વાચ્યું છે. બાર વર્ષના પર્યાયવાળાને માટે શ્રી અરુણાવવાઈ આદિ પાંચ અધ્યયન કહેલા છે. તેર વર્ષના દીક્ષા પર્યાયવાળાને ઉદ્દાણશ્રેતાદિક ચાર અને ચૌદ વર્ષના પર્યાયવાળાને શ્રી આશીવિશ ભાવના વાચનીય છે. પંદર વર્ષના પર્યાયવાળા દષ્ટિવિષભાવના અને સળવર્ષના પર્યાયવાળા ચારણભાવના સુધી વાંચી શકે છે. સત્તર વર્ષના પર્યાયવાળાને મહાસુમિણભાવના અને અઢાર વર્ષના પર્યાયવાળાને તેજગવિસંગ ભાવના સુધી અધ્યયન કરવું યોગ્ય છે. ગણેશ વર્ષના પર્યાયવાળાને બારમા દષ્ટિવાદ વાંચવાની આશા છે. અને સંપૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા મુનિને સવ સૂત્રની આજ્ઞા છે તે સ્વાધ્યાયને કરનારા અને સંયમમાગને નહીં વિરાધનારા મુનિઓએ વ્યાવિદ્ધત્વ પ્રમુખ અતિચાર સર્વથા વવા જોઈએ. તે અતિચારે ચૌદ પ્રકારના છે. ૧ વ્યાવિદ્ધત્વ=વિપરીતપણું. ૨ વ્યાખ્રડિત=જુદા જુદા આલાવા મેળવી બે ત્રણ વાર કહેવું. ૩ હીનાક્ષરત્રહીન અક્ષરપણું. ૪. અત્યક્ષર વધારે અક્ષરે કહેવા તે. ૫. પદહીનતા=પદ ઓછું કહેવું તે. ૬ વિનયહીનતા=વિનયને ત્યાગ કરવો તે. ૭. ઉદાત્તાદિષત્રહીનપણું, ૮ યોગ હીનતા=ાગની ઉપચારતા ન કરવી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy