SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ તૃતીય પ્રકાશ ૨ “અનિષ્ટ શબ્દાદિક વિષયને સંગ મને કોઈ દિવસ પણ ન થાઓ” એવું જે ચિંતવન તે અનિષ્ટ સંયોગ નામે બીજું આધ્યાન કહેવાય છે. ૩ રેગની ઉત્પત્તિ થતાં જે ઘણું ચિતા કરવી તે રોગચિતા વિષય નામે ત્રીજું આધ્યાન કહેવાય છે. ૪ દેવપણાની અને ચક્રવર્તીપણાની ઋદ્ધિની પ્રાર્થના કરવા પ્રમુખ અનાગત કાલ સંબંધી કાર્યનો શેક કરે, તે અગ્રણેચ વિષય નામે ચોથું આત ધ્યાન કહેવાય છે, આ થાન શેક, આકંદન, સ્વદેહતાડન આદિ લક્ષણોથી ઓળખાય છે. તે તિર્યંચની ગતિના કારણરૂપ કહેવાય છે. આ દયાનને સંભવ છ ગુણસ્થાન સુધી છે, એમ જાણવું. દુર્બલ પ્રાણુઓને જે સેવરાવે તે રુદ્ર કહેવાય છે, તે પ્રાણિવધ આદિ કાયવડે પરિણત એવા આત્માનું જે કમ તે રોદ્ર અથવા તે રુદ્રપણાનો જે ભાવ (ક્રિયા) તે રદ્ર કહેવાય છે. તે સંબંધી જે ધ્યાન તે રદ્રધ્યાન કહેવાય છે. તે રોદ્રધ્યાનના ચાર પ્રકાર છે. ૧. હિંસાનુબંધી, ૨ મૃષાનુબંધી, ૩ ચોર્યાનુબંધી અને ૪ પરિગ્રહરણાનુબંધી એવા તેનાં નામ છે. ૧ પ્રાણુઓના વધ, બંધન, દહન, અંકન અને મારાદિકનું ચિંતવન તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. ૨ પિશુનતા સત્યાસત્ય અને ઘાતાદિકનું ચિંતવન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. ૩ તીવ્રકોપ, લેભાકુલ, પ્રાણીને ઉપધાત કરવામાં તત્પરતા, પરલોકના ભય તરફ ઉપેક્ષા તથા પરદ્રવ્યના હરણને ચિંતવન તે ચોર્યાનુબંધી રદ્રધ્યાન કહેવાય છે. ૪ સવજનને શંકામાં પાડવાની તત્પરતા, ઉપઘાત કરવામાં પરાયણતા, વિષયસુખની સાધકતા તથા દ્રવ્યના સંરક્ષણનું ચિંતવન, તે પરિગ્રહરક્ષણાનુબંધી નામે રોદ્રધ્યાન કહેવાય છે. આ સ્થાન પ્રાણિવધાદિ લક્ષણથી ઓળખાય છે, તેથી તે નરકગતિના કારણરૂપ થાય છે. આ રૌદ્રધ્યાનને સંભવ પાંચમા ગુણઠાણું પર્યત જાણવો. કેટલાક આચાર્યો આ ધ્યાનના ચોથા પ્રકાર (પરિગ્રહરક્ષણાનુબંધી)ને છઠા ગુણઠાણ - સુધી માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy