SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી આત્મપ્રધ જેમની બુદ્ધિ તીવ્ર વૈરાગ્યમાં નિમગ્ન થયેલી છે, જેમણે કષાયરૂપી સર્વ શત્રુઓને સૂકમ કરી દીધા છે, જેમને સ્વભાવ સરલ છે, અને જેમણે પોતાના મનને અનુકૂલ કરેલું છે, એવા ભવ્ય પ્રાણીઓ ઉત્તમ એવા મુનિધમને ભજે છે.” ૧ આ શ્લોકમાં અમંદ વૈરાગ્ય એ વિશેષણ આપેલું છે, એ ઉપરથી સિદ્ધ થાય છે કે-રેગાદિજન્ય એવા ક્ષણમાત્ર રહેનારા વૈરાગ્ય વડે કાંઇપણ સિદ્ધ થતી નથી, એમ સૂચવ્યું છે. વળી કહ્યું છે કે "रोगेण व सोगेण व, दुक्खेण व जडाण उल्लसइ । मग्गंति न वेरग्ग, तं विबुहा अप्पकालं ति ॥१॥ सुहिअस्सव्य दुहिअस्स व, जं वेरग्गं भवे विवेएणं । पाय अपच्चयं वा, तं चिय चारित्ततरुबीअं ॥२॥" તેવા વૈરાગ્યને પંડિત પુરૂષો માગતા નથી કે જે વૈરાગ્ય નિર્વિવેકી પુરૂષને કાસ-શ્વાસાદિ રોગથી, પુત્રવિયાગાદિ શેકથી, અને વધ-બંધાદિકના વેગથી ઉત્પન્ન થાય છે. વળી આ અસાર સંસારને ધિક્કાર છે, કારણ કે-રોગ, શોક આદિ ઘણાં કષ્ટો જેમાં રહેલા છે એવી વિચારણામય વૈરાગ્ય જેમાં ઉલ્લાસ પામે છે તેવા વૈરાગ્યને પંડિત પુરૂષ ઈચ્છતા નથી, જેથી તે વૈરાગ્ય સર્વવિરતિને અયોગ્ય છે. ૧ " તેવા વૈરાગ્યની અગ્રતા શાથી થાય છે? તે કહે છે – તેવા વૈરાગ્યનું અપકાળ સુધી સ્થાયીપણું છે, તેમજ રેગાદિકથી નિવૃત્તિ થતાં તેવા વૈરાગ્યથી પણ નિવૃત્તિ થઈ જાય છે, માટે ઉત્તમ બુદ્ધિવાળા પુરુપાએ તેવો વૈરાગ્ય ઈચ્છવા ગ્ય નથી. અહીં પ્રશ્ન કરે છે કે-“ત્યારે સર્વવિરતિને મેગ્ય કે વૈરાગ્ય હોય?” તેના ઉત્તરમાં કહે છે કે-સુખી અથવા દુઃખી, જનને જે વૈરાગ્ય વિવેકવડે થાય તે જ વૈરાગ્ય અનશ્વર હોય છે. કારણ કે વિવેકના મલપણાને લઈને સર્વ દુઃખાદિકની નિવૃત્તિ થતાં વૈરાગ્ય પણ નિવૃત્તિ પામતો નથી, તેથી એ વૈરાગ્ય ચારિત્રરૂપી વૃક્ષને ઉત્પન્ન કરવાનું કારણ બીજરૂપ છે. અહીં ચારિત્રને વૃક્ષની ઉપમા આપેલી છે, તે સમ્યકત્વરૂપ મૂલથી, પ્રથમ વ્રતરૂપ ધથી. શેષ–બાકીના ત્રતરૂપ શાખાઓથી, પ્રશમાદિક પ્રશાખાઓથી, સકલ ક્રિયાકલાપરૂપ પ્રવાળાંથી, લબ્ધિઓરૂપ પુપોથી અને મેરૂપ ફળથી બરાબર ઘટે છે. તેની અંદર જે પ્રાયઃ શબ્દ મુકેલે છે, તેથી વ્યભિચાર છતાં દોષ આવતું નથી. કારણ કે-તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy