SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૨૯૧ ૧. પંડક, ૨. વાતિક, ૩. કલીબ, ૪, કુંભી, ૫. ઈર્ષ્યાળુ, ૬. શકુની ૭. તત્કમસેવી ૮. પાક્ષિકાપાક્ષિક ૯, સૌગંધિક, ૧૦. આસક્ત એ દશ નપુંસક સંકિલષ્ટ ચિત્તવાળા હોવાથી સાધુઓને દીક્ષા દેવાને અગ્ય છે. તે સર્વનું સંકિલષ્ટપણું મહા નગરદાહ સમાન કામના અધ્યવસાયયુક્તપણા વડે સ્ત્રી-પુરુષ સેવન આશ્રીને હોય છે. કેમકે તે ઉભયસેવી છે. તેમનું સ્વરૂપ નિશીથભાષ્યથી તથા પ્રવચનસારદ્વારથી જાણી લેવું. અહીં પ્રશ્ન થાય છે કે–પુરુષના ભેદમાં અને અત્ર નપુંસક કહેલા છે તેમાં શું વિશેષ છે? ઉત્તરમાં કહેવામાં આવે છે કે ત્યાં પ્રથમ પુરુષ આકૃતિનું ગ્રહણ છે અને અહીં નપુંસક આકૃતિનું ગ્રહણ છે, એ વિશેષપણું છે. તેમ જ સ્ત્રીને વિષે પણ સમજવું. હવે સેળ ભેદમાં બાકી રહેલા છ ભેદ દીક્ષાને યોગ્ય છે તે દર્શાવે છે "वद्धिए चिप्पिए चेव मंत ओसहिउ वहे ।। સિસ હેવને ય પંડ્યાગ નપુંસા છે ?” * ૧. રાજા અંતઃપુરની રક્ષા માટે ઉત્તર કાલમાં બાલ અવસ્થામાં છેદ આપી જે પુરૂષના ચિહ્નને ગાળી નાખે છે તે વર્દકનપુંસક કહેવાય છે. ૨. જન્મ પામતાં જ અંગુઠાથી અથવા આંગળીથી જેનું પુરૂષચિહ્ન ખેરવી નખાય અથવા વિખેરી નખાય તે ચિષિત નામે નપુંસક કહેવાય છે. ૩-૪. જેને મંત્રની શક્તિથી અથવા ઔષધના પ્રભાવથી પુરૂષદ અથવા સ્ત્રીવેદ હણતાં નપુંસકવેદ ઉદય થાય તે બે પ્રકારે નપુંસક કહેવાય છે. ૫. કેઈ ઋષિ કે તાપસે શાપ આપવાથી જે નપુંસક થયેલો તે ઋષિપ્ત નપુસક કહેવાય છે. ૬. જે કોઈ ભવનપતિ વગેરે દેવતાના શાપથી નપુંસક થયેલ હોય તે દેવશપ્ત કહેવાય છે. આ છ પ્રકારના નપુંસકને દીક્ષા આપી શકાય છે. હવે અઢાર, વીશ અને દશ ભેદથી વ્યતિરિક્ત એવા પુરૂષ, સ્ત્રી અને નપુંસકને વિષે જે સર્વવિરતિ અંગીકાર કરાય છે, તે કહે છે "अमंदवैगग्यनिमग्नबुद्धयः, तनूकृताशेषकषायवैरिण । ऋजुस्वभावाः सुविनीतमानसा भजन्ति भव्या मुनिधर्ममुत्तमम् ॥१॥" . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy