SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૨૮૭ સ્થવિરમુનિને તેને સેંપી દીધા. તે પછી પ્રકૃતિએ ભદ્રક અને વિનયવાન એવા અતિમુક્તકુમાર બાલ સાધુ રૂપે રહેવા લાગ્યા. એક વખતે તે કુમારમુનિ મોટી વૃષ્ટિ પડતાં પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈ બહાર આવ્યા, ત્યાં જળના પ્રવાહને વહેત દેખી બાલ્યવયને લીધે તેમણે તે પ્રવાહની આડે માટીની પાળ બાંધી પછી તેની અંદર રમત કરવાને પોતાનું પાત્ર વહાણની જેમ તરતું મૂક્યું. આ દેખાવ સ્થવિર મુનિ ના જોવામાં આવ્યું, એટલે તે બાળમુનિનો ઉપહાસ કરતા તે મુનિઓએ પ્રભુની પાસે આ પ્રમાણે પૂછ્યું -“ભગવન્! તમારે અતિમુક્તકુમાર શિષ્ય કેટલે ભવે સિદ્ધિપદને પામશે?” મહાશાની પ્રભુ આ પ્રમાણે છેલ્યા–“આર્યો! એ મારે શિષ્ય આ ભવમાં જ મેક્ષ પામશે. તેથી તમારે આ બાલમુનિને ઉપહાસ ન કરો, તેની ચેષ્ટાની નિંદા કે ગહણ ન કરવી. તેમજ અપમાન ન કરવું. ભદ્ર દેવાનુપ્રિય ! તમારે એ મુનિને ખેદરહિતપણે અંગીકાર કરવા અને તેને ઉપકાર કરવો. તે સાથે ભાત-પાણીથી અને વિનયથી તેની વૈયાવચ્ચે કરવી. તે બાળમુનિ આ સંસારનો અંત કરનાર ચરમશરીરી છે.” પ્રભુના આવાં વચન સાંભળી તે મુનિઓએ વંદના કરી પ્રભુનું વચન અંગીકાર કર્યું અને અતિમુક્તકુમારને ખેદરહિત ગ્રહણ કર્યા. અને તેની વૈયાવચ્ચ કરવા માંડી છેવટે તે અતિમુક્તકુમાર પાપસ્થાનને આલેવી, અનેક પ્રકારની તપશ્ચર્યા સંયમનું આરાધન કરી અંતગડકેવલી થયા અને પરમ સિદ્ધિપદને પ્રાપ્ત થયા હતા. આ વૃત્તાંતનો સંબંધ અંતગડદશાંગ નામના આઠમા અંગે તથા ભગવતીજી-પાંચમા અંગ પ્રમુખ સૂત્રાને આધારે કહે છે. આ પ્રકારે બાલવયની દીક્ષા ઉપર અતિમુક્તમુનિનો વૃત્તાંત કહેવામાં આવ્યું. જે સાઠ તથા સીત્તેર વર્ષ ઉપરાંતના પુરુષો વૃદ્ધ કહેવાય છે. તેમનું પણ સમાધાનાદિક કરવું અશક્ય છે માટે તેવા પુરુષે દીક્ષાને અયોગ્ય છે. તેને માટે કહ્યું છે કે “ उच्चासणं समीहइ, विणयं न करेइ गव्यमुव्वहइ । gો ફિનિવડ્યો, જ્ઞા ના વાસ્તુ શા” જે વૃદ્ધ હોય તે ઉંચા આસનને ઈચ્છે છે, વિનય કરતું નથી અને ગર્વ ધારણ કરે છે તેથી કદિ તે વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધ પુરુષને દીક્ષા આપવી નહીં.” ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy