SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પ્રથમ પ્રકાશ "आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः ।। यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति" ॥ १ ॥ ચતિને આત્મા જ દશન, જ્ઞાન અને ચારિત્ર છે. કારણ કે, જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ જ આત્મા આ શરીરને વિષે રહેલો છે. કારણ કે, જે તે આત્માથી ભિન્ન હોય તે મુક્તિના હેતુરૂપ થઈ શકતા નથી. વળી નિશ્ચયથી પિતાને જીવ જ દેવ નિષ્પન્ન સ્વરૂપવાળે છે, તેમ પોતાનો આત્મા તત્ત્વરમણરૂપ ગુરુ પણ છે. અને પોતાના જીવને જે જ્ઞાનદશન સ્વભાવ તે જ ધર્મ છે. તે સિવાય કોઈ બીજે નથી. આવું જે શ્રદ્ધાન તે નિયસમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જ. મોક્ષનું કારણ છે તેથી જીવને સ્વરૂપના જ્ઞાન વિના કમક્ષયરૂપ મેક્ષ થતો જ નથી. - અરિહંત ભગવાન તે દેવ છે, સુધર્મનો ઉપદેશ આપી મોક્ષમાર્ગને દેખાડનાર તે ગુરુ છે. અને કેવલી ભગવંતે કહેલો દયામૂળ ધર્મ તે ધર્મ છે, ઇત્યાદિક પદાથ તરફ સાત નય, ચાર પ્રમાણ અને ચાર નિક્ષેપવડે જ તત્ત્વશ્રદ્ધાન તે નિશ્ચયસમ્યક્ત્વનું કારણભૂત વ્યવહારસમ્યકત્વ કહેવાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન ગયેલા છે, તે જ દેવ કહેવાય છે. તેવા દેવ તો શ્રી અરિહંત ભગવાન છે. બીજા હરિ. હરબ્રહ્માદિક દેવ નથી, એટલે તે દેવામાં દેવત્વ નથી, કારણકે તેઓને વિષે સ્ત્રી, શસ્ત્ર, જપમાલા આદિ રાગાદિકના ચિહ્નો પ્રગટપણે વર્તે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “તે દેવને વિષે રાગાદિક હોય તેમાં અમારે શી હાનિ છે?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે, “એમ કહો નહિ. કારણ કે, તે દેવો રાગદિકથી કલુષિત છે, તેથી તેમનો હજુ મિક્ષ થયો નથી, તેથી તેમનામાં મોક્ષસુખ આપવાની યેગ્યતા નથી, માટે તેમનામાં દેવપણું નથી; કારણ કે દેવનું સન્મુખપણું મોક્ષસુખને અથે છે, એટલે જે દેવ સન્મુખ હોય તે મોક્ષસુખ–સુખે મેળવી શકાય છે, તેથી એમ કહેવું યોગ્ય નથી. નિત્ય મુક્ત તે જ કે જે કમે કરીને લેપાય નહીં, અને રાગાદિકે કરીને પણ ન લેવાય. જે વિષ્ણુ, શંકર અને બ્રહ્માને નિત્યમુક્ત કહ્યાં છે, તે અગ્ય છે, કારણ કે, તેમને ફરીથી સંસારમાં ભટકવાપણું સાંભળવામાં આવે છે, અને તેમને અસંખ્યાતા ભવ કરવાં પુરાણોને વિષે કહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy