SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી આત્મપ્રબોધ ક્ષય થતાં એક પંજવાળા હોય છે. અને સમ્યકત્વનો ક્ષય થતાં ક્ષાયિક સમકિતી હોય છે. ઉપર જ્યાં જ્યાં સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ શબ્દો યોજવામાં આવ્યા છે, ત્યાં ત્યાં મેહનીય શબ્દ સાથે જોડવાથી સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીય એમ જુદા નામ પડે છે. વળી કમગ્રંથના અભિપ્રાય એમ છે કે, પહેલ વહેલે સમ્યકત્વ પામેલ જીવ સમ્યકૃત્વમાંથી પતિત થઈ મિથ્યાત્વને પામ્યા છતાં ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કમ પ્રકૃતિને બાંધે છે, અને સિદ્ધાંતના અભિપ્રાય પ્રમાણે એમ છે કે, જેણે ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરેલ છે, એવો જીવ સમ્યકત્વથી પતિત થઈ પુનઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. આ સ્થળે સમ્યકત્વના વિચારને માટે ઘણી ચર્ચા છે. પણ ગ્રંથે ગોરવના ભયથી તે અહીં કરેલ નથી; તે બીજા ગ્રંથોથી જાણી લેવું. સમ્યક્ત્વના ભેદ સમ્યક્ત્વ કેટલા પ્રકારનું છે? તેવી શંકા થતાં તેને દૂર કરવાને સમ્યકુત્વના ભેદ બતાવવામાં આવે છે–સમ્યકત્વ એક પ્રકારે છે, તેમ બે, ત્રણ, ચાર; પાંચ અને દસ પ્રકારે પણ છે, એમ અનંતજ્ઞાની શ્રી તીર્થકર ભગવાને કહેલું છે. સમ્યકત્વને એક પ્રકાર શી રીતે થાય ? તે કહે છે. તશ્રદ્ધાન એટલે તત્ત્વને વિષે શ્રદ્ધા તે સમ્યકત્વનો એક પ્રકાર છે. શ્રી જિન–ભગવાને ઉપદેશ કરી બતાવેલા જીવ–અજીવ વિગેરે પદાર્થને વિષે સમ્યક પ્રકારે જે શ્રદ્ધા એટલે ધારણાની રુચિ તે સમ્યકત્વને એક પ્રકાર છે. સમ્યકત્વના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર થાય છે, જે પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વના પુદ્ગલેને વિશુદ્ધ કરવા તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય છે, એટલે તેમાં પુદગલદ્રવ્યને શોધી શુદ્ધ કરવાથી તે દ્રવ્ય શુદ્ધ થયું. માટે તે દ્રવ્યસમ્યકૃત્વ કહેવાય છે, અને જે તેના આધારભૂત થઈ જીવને જિનેશ્વરે કહેલા વચનને વિષે તત્ત્વશ્રદ્ધા થવી તે બીજુ “ભાવસમ્યકત્વ' કહેવાય છે. વળી નિશ્ચય અને વ્યવહારના ભેદથી સમ્યકત્વે બે પ્રકારનું થાય છે. શાન, દર્શન અને ચારિત્રરૂપ જે આત્માના શુભ પરિણામ તે “નિશ્ચયસમ્યકૃત્વ કહેવાય છે, અથવા “જ્ઞાનાદિ પરિણામથી આત્મા અભિન્ન છે એટલે જુદો નથી.” આવું જે શ્રદ્ધાથી માનવું, તે “નિશ્ચયસમ્યકત્વ” કહેવાય છે. તેને માટે કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy