SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રખેાધ २७६ કહ્યું : “સ્વામી! સત્વર ત્યાં જાએ અને પુરતુ' દ્રવ્ય લઈ આવે. ” કારણ કે– નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે–“ શ્રેયઃકાર્યમાં વિઘ્ન ઘણા હાય છે.'' બ્રાહ્મણે કહ્યું : “પ્રિયા ! નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે ‘શતું વિજ્ઞાન મોતથ્ય ’ “સા કામ પડચા મુકીને જમવુ” માટે હુ’ભાજન કર્યાં પછી સ્થિર ચિત્તવાળા થઈ પછી દ્રવ્ય લેવાને જઇશ.' પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રી પડેાશીને ઘેરથી આટે લાવી, તેને પકાવી પતિને જમાડયા અને પછી તેણીએ કહ્યુ, “સ્વામી ! હવે શીઘ્ર જઈ પેાતાનુ` કા` સાધેા.” પતિએ કહ્યુ શાસ્ત્રમાં કહ્યું છે કે “જો જમ્યા પછી સુવાનું ન મળે તેા સે। ડગલાં ચાલવુ'.” માટે ક્ષણવાર શયન કર્યા પછી જઈશ. આ પ્રમાણે કહી તે વિપ્ર સુઇ ગયા, પ્રાયઃ કરીને દરિદ્રીને નિદ્રા ઘણી હાય છે, તેથી તે એવી ગાઢ નિદ્રામાં સુતા કે-તેની સ્ત્રીએ ઘણા ઘાંટા પાડ્યા અને તેના હાથ તથા પગ હલાવ્યા છતાં તે દિવસને ખીજે પહેારે માંડ માંડ જાગૃત થયા, તે પછી સ્ત્રીની પ્રેરણાથી તે દરદ્રી બ્રાહ્મણ ઘેરથી નીકળ્યા, પણ મામાં જતાં ચૈટામાં એક નાટક થતું તેના જોવામાં આવ્યુ, ત્યારે તેણે ચિંતવ્યુ. કે—“હજી દિવસ ઘણા છે, માટે નાટક જોયા પછી દ્રવ્ય લેવાને માટે રાજદ્વારમાં જઇશ." આ પ્રમાણે ચિંતવી તેણે પૂર્ણ રીતે નાટક જોયુ, તે જોયા પછી તે આગળ ચાલ્યા, માગમાં ઠેકાણે ઠેકાણે કૌતુક જોતા જોતા તે રોકાયા, દિવસ પસાર થઈ ગયા, તે તેના જાણવામાં આવ્યું નહીં. જ્યારે સૂર્ય અસ્ત થયા, ત્યારે તે રાજાના ભંડાર સમીપે આવી પહાંચ્યા, ત્યાં ભંડારી ભડારે તાલુ આપી જતેા હતેા, તેની પાસે આવી તે વિષે રાજાના હુકમને પત્ર આપ્યા. ભડારીએ પત્ર વાંચીને કહ્યું “અરે વિપ્ર ! રાજાએ કરેલા નિયમ પૂર્ણ થઈ ગયા છે, તેથી હવે તને કાંઈપણ દ્રવ્ય મળી શકશે નહીં, માટે પાછા ઘેર જા.” ભ’ડારીનાં આવાં વચન સાંભળી પ્રમાદના વશથી દ્રવ્યને નહીં પામતા, હાથ ઘસતે। અને પશ્ચાત્તાપ કરતા તે પેાતાને ઘેર પાછા આભ્યા, અને પૂર્વની પેઠે દરિદ્રપણે રહ્યો હતા. આ લૌકિક દૃષ્ટાંતના ઉપનય આત્મા ઉપર આ પ્રમાણે ઘટે છે. આ સ’સારરૂપી નગરમાં દરદ્રી બ્રાહ્મણ રૂપી દુ:ખી સ`સારી જીવ રહે છે. તેને સત્કાર્યમાં પ્રેરણા કરનારી જે સ્ત્રી તે સુમિત સમજવી. જે રાજા તે તીર્થંકરાદિ સદ્ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy