SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રી આત્મપ્રબોધ “છ જીવનિકાયની યતનાવંત હોય તે દ્રવ્યસ્તવથી વિરામ પામે, તેથી સંપૂર્ણ યતનાવંત હોય તે પુષ્પાદિકને ઈચ્છતા નથી.” અથવા " अकसिणपवत्तयाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे दव्वत्थए कूवदि₹तो ॥ १ ॥" “અસંપૂર્ણ ચારિત્રને વિષે પ્રવર્તનારા એવા વિરતાવિરત શ્રાવકોને સંસાર પાતળો–લઘુ કરવા માટે કૂવાના દષ્ટાતે કરી દ્રવ્યસ્તવમાં પ્રવર્તન યુક્ત જ છે.” ૧ - ઈત્યાદિ આગમ પ્રમાણે છે, માટે હવે તે વિષે વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. દેવપૂજા કર્યા પછી શ્રાવક વિનયપૂર્વક ગુરુવંદન આચરે, તે કહે છે- "श्रृंगी यथा क्षारजले पयोनिधौ वसन्नपि स्वादुजलं पिबेत् सदा। तथैव जैनामृतवाणीमादराद् भजद् गृही संसृतिमध्यगोऽपि सन् ॥ १ ॥" જેમ ઇંગી જાતને મત્સ્ય ખારા જળવાળા સમુદ્રમાં વસવા છતાં પણ સદા મીઠું' જળ પીવે છે, તેમ સંસારના મધ્યમાં રહેલે પણ ગૃહસ્થ શ્રાવક જૈન આગમની અમૃત જેવી વાણુને આદરથી સેવે છે.” ૧ - તે પછી શ્રાવકે બાલ તથા ગ્લાનાદિક સાધુઓને પ્રભાતે ખાવા ગ્ય એવા આષધાદિ લાવી દેવા યત્નવાન થવું. આ વાત દર્શાવી નથી તો પણ જાણું લેવી. તે પછી શ્રાવકે શું શું કરવું જોઈએ? તે કહે છે – ५ " द्रव्यार्जनं सद्व्यवहारशुद्धथा, करोति सद्भोजनमादरेण । " જ્ઞાઢિવાનિ વિધાર પૂર્વ, નિકોચિતં મુત્તવિશેષ સૌરાઃ I ? ” તે પછી શ્રાવક વ્યવહારશુદ્ધિવડે દ્રવ્યાપાર્જન કરે છે. ત્યારબાદ પહેલા મધ્યાહ્નકાલ સંબંધી દેવપૂજા કરીને, મુનિ મહારાજાઓને દાન આપીને અને વૃદ્ધ, આતુર, અતિથિ અને પશુ વગેરેની ચિંતા કરીને વિશેષ લાલુપતાનો ત્યાગ કરી શ્રાવક પોતાને યોગ્ય એવું ભેજન આદરથી કરે છે. યંગ્ય એવું ભેજન એમ કહેવાનો આશય એ છે કે, સુતકવાળું ભેજન લોકવિરુદ્ધ હોવાથી, અનંતકાયાદિકે વ્યાપ્ત એવું ભોજન આગમવિરુદ્ધ હોવાથી અને મઘમાંસાદિકનું ભોજન ઉભયલોક શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી શ્રાવક કરતો નથી, તેમ લોલુપતાથી પિતાને જઠરાગ્નિના બલને વિચાર કર્યા વિના શ્રાવક અધિક ભેજન કરે નહીં, કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy