SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શ્રી આત્મપ્રધ જોવામાં આવ્યો. તેને જોતાં જ “હું અહીંઅકસ્માતુ શી રીતે આવ્યા?” એમ વિચાર કરતાં કેશવે તે જ વખતે પિતાની સમીપે રહેલા વહિદેવને ઉભેલો જોયો. તત્કાલ તે દેવ છે – મિત્ર! અવધિજ્ઞાનથી તારી પીડા મારા જાણવામાં આવતાં તને આપેલું વરદાન સત્ય કરવાને હું ઉતાવળે આવ્યો અને તને અહીં મૂકી તારા મનોરથો મેં પૂરા કર્યા છે. આ પ્રમાણે કહી તે દેવ તત્કાલ અદશ્ય થઈ ગયા. તે પછી હર્ષ પામેલા કેશવે પોતાના હસ્તના સ્પેશવાળું જલ લઈ હંસના શરીર ઉપર તેનું સિંચન કર્યું. એટલે તત્કાળ હંસ રોગથી મુક્ત થઈ બેઠો થયો અને તેનું સ્વરૂપ પૂર્વના જેવું થઈ ગયું. હંસને આવો નરેગી અને સુંદર જઈ સર્વ પરિવાર આનંદિત થઈ ગયે. સર્વે સાનંદાશ્ચય થઈ કેશવના ગુણેની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે બીજા રોગી અને વિશ્વની પીડાથી પીડાતા એવા ઘણા લોકો આવી કેશવના અંગને સ્પશેલા જળવડે પોતાના શરીરનું સિંચન કરી નરેગી થવા લાગ્યા. ધમને આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈ તેના સંબંધીઓએ અને બીજાઓએ રાત્રિભેજનના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. પછી કેશવરાજા પોતાના કુટુંબને પોતાની રાજધાની સાકેતનગરમાં લઈ ગયો. ત્યાં કેશવ ચિરકાળ રાજ્ય ભોગવી ઘણા લેકેનેધમમાગમાં લાવી અને પોતે શ્રાવકધમને પાળી છેવટે સદગતિનું ભાજન થ. એ પ્રકારે રાત્રિભોજનના ત્યાગ વિષે કેશવનું વૃત્તાંત કહ્યું. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આ હંસ અને કેશવનું દૃષ્ટાંત સાંભળી વિવેકી પુરુષોએ રાત્રિભેજનના ત્યાગમાં ઉદ્યમવંત થવું. એવી રીતે શ્રાવકની ડિમાનું સ્વરૂપ કહેવામાં આવ્યું. શ્રાવકને નિવાસ કરવા યોગ્ય સ્થાનકનું સ્વરૂપ ર ચૈત્ર સાધર્મિલાપુ ત્રાતિ તલ્લામપુરારિ પુતેશ્વર બાપુઃ અ વાપિ બાગની વસત્તિ છે ? ” “જ્યાં ચૈત્યો, સાધર્મિક અને સાધુઓનો વેગ હોતું નથી, તેવા ગામ તથા નગર વગેરે બીજા ઘણા ગુણોથી યુક્ત હોય તો પણ તેમાં શ્રાવક લોકો વસતા નથી. ૧ અહીં બીજા ગુણ એટલે સારું રાજ્ય, જળ, ઇંધણાં, ધન ઉપાર્જન કરવાના વ્યાપારાદિક સાધન, કુટુંબીઓ, ઘર, હાટ અને સારાં સ્થાને વગેરે સમજવાં. જે નગરમાં જિનાલયે હોય, સાધર્મિક બંધુઓ અને ઉત્તમધર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy