SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ २६३ ભાગ રુધિરવાળે , છિદ્રવાળે, કાગડાના પગ જેવી આકૃતિવાળે, શુષ્ક, શ્યામ અથવા ત્રણ રેખાવાળે હોય તે તે ડસેલા માણસનો નાશ કરે છે. જે ડંશ આવર્ત ઘુમરીવાળે, સવ તરફ સેજાવાળે, ગળાકાર, અને સંકુચિત મુખવાળ હોય તે તે જીવિતનો નાશ સૂચવે છે. કેશને અંતે, મસ્તક ઉપર, લલાટ, બે ભકટીની વચ્ચે, આંખ, કાન, નાસિકાના અગ્રભાગે, હોઠે, હડપચીએ, ગળે, કાંધે, છાતીએ, સ્તન, કાખ ઉપર, નાભિ, લિગે, સાધા ઉપર, ગુદા ઉપર અને હાથ પગને તલીયે ડસાચેલે પુરુષ યમરાજની જિહાથી સ્પર્શ કરાયેલો છે, અર્થાત્ મૃત્યુ પામે છે. શાસ્ત્રમાં આ પ્રમાણે લખે છે, પણ આ હંસ પે સેલો નથી, પરંતુ તેના ઉદરમાં ગરલને પ્રવેશ થયેલ છે, તેથી તેમાં સાધ્યઅસાધ્યને વિચાર કરવો શા કામનો છે?” આવા તે વિષવૈદ્યના વચન સાંભળી મેં તેને પૂછયું કે-“ત્યારે આ હંસ શા ઉપાયથી જીવે ?” ત્યારે તેણે મંત્રનું આહ્વાન કરીને કહ્યું: “તમારે કેઈપણ ઉપાય ચાલશે નહીં, તેથી તેને માટે શ્રમ કરવો નહીં. કારણ કે આ સપનું વિષ તેના શરીરમાં હળવે હળવે વ્યાપી જશે, અને આ બાલકની કાયા તેનાથી એક માસ સુધી ગળતી જશે. પછી એક માસે તેનું મરણ નીપજશે." આવા તેનાં વચન સાંભળી સર્વ લોકોને વિસર્જન કરી તારા ભાઈ હંસને એક શસ્યામાં સુવાડી હું પાંચ દિવસ સુધી તેની શી સ્થિતિ થાય છે તે તો ઘરમાં રહ્યો. તેટલા વખતમાં તેના શરીરમાં રોમ રોમ છિદ્રો પડવા લાગ્યા. તેથી તે મૃત્યુ પામી ગયે. પછી હું તારી શેધ કરવાને ઘરમાંથી બાહર નીકળ્યો. હું ઘણ માગ ઉલંઘન કરી અહીં આવ્યા, ત્યારે તારો અચાનક મેલાપ થઈ આવ્યો. ઘેરથી નીકળ્યા અને આજે માસ પૂર્ણ થાય છે. આજે તે હંસનું મૃત્યુ થયું હશે અથવા હમણાં થશે.” પિતાના આવાં વચન સાંભળી કેશવ અતિશય ખેદાતુર બની ગયો. તે પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-“અહીંથી તે નગર સે જન દૂર હશે, હવે મારા જીવતા બાંધવનું મુખ જોવા શી રીતે જાવું?' આ પ્રમાણે જેવો પોતે વિચાર કરે છે, તેવામાં કેશવે પોતાના આત્માને પિતા સહિત હંસની પાસે રહેલે જે. હંસનું શરીર અત્યંત કેહવાઈ ગયું હતું. તેની દુર્ગધ ચારે તરફ પ્રસરતી હતી. તેથી સર્વ પરિવારે તેને છોડી દીધો હતો. અતિરુદન કરવાથી જેના નેત્ર શુન્ય થઈ ગયા છે એવી માતા તેની પાસે બેઠી હતી. નરકની પીડાથી પીડિત અને મૃત્યુ જેની નજીક છે એ હંસ પૃથ્વી ઉપર નાંખેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy