SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી આત્મપ્રબંધ હું ઠગાયો નથી. મને ખાત્રી થાય છે કે હજુ રાત્રિ છે. આ દિવસને પ્રકાશ તારી માયાથી ઉત્પન્ન થયેલો છે.” આ પ્રમાણે કેશવ બેલતો હતો, તેવામાં તેના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને જય જય શબ્દ પ્રગટ થયો. ત્યારે કેશવે પિતાની સન્મુખ એક કાંતિવાલા દિવ્ય પુરુષને જોયો અને યક્ષાયતન, યક્ષ અને યક્ષના ભક્તો જોવામાં આવ્યા નહીં. તે દેવે કેશવને કહ્યું : “હે મહાધીરજવાન! હે પુણ્યવાનોમાં શિરમણિરૂપ! તમારા જેવા પુરુષોની ઉત્પત્તિથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. હમણાં ઈન્ડે પિતાની સભાને વિષે રાત્રિભેજનના ત્યાગના વિષયમાં તમારા પૈર્યનું અત્યંત વર્ણન કર્યું, તે મારાથી સહન થઈ શક્યું નહીં. હું વહિ નામે દેવ છું. પછી તમારી પરીક્ષા કરવાને માટે હું અહીં આવ્યો, પણ નિયમને વિષે દઢ ચિત્તવાળા એવા તમારું એક પણ રોમ ચલિત કરવાને હું સમથ થયે નહીં. હવે હું તમને ખમાવું છું. તમે મારે અપરાધ ક્ષમા કરે. વળી દેવનું દર્શન નિષ્ફલ ન હોય, તેથી મારી પાસે કંઈક વર માગી લ્યો. અથવા તમારા જેવા સન્દુરુષને કોઈ જાતની ઈચ્છા હોતી નથી, પણ મારે પિતાને પોતાની ભક્તિ દેખાડવી જોઈએ, તેથી હું તમને બે વરદાન આપું છું. “આજથી જે કોઈ રેગી પુરુષ તમારા અંગને લાગેલા જળવડે પિતાના શરીરનું સિંચન કરશે, તે તત્કાલ નીરોગી થશે, બીજુ તમે કદાચિત્ આતુરતાથી જે કાંઈ ચિતવશે, તે કાર્ય સત્વર સિદ્ધ થશે આ પ્રમાણે બે વરદાન આપી તે કેશવને સાકેતપુરની પાસે મુકી તે દેવ અદૃશ્ય થઈ ગયો. કેશવે પોતાના આત્માને કેઈ નગરની પાસે રહેલે જોયે. તે પછી સૂર્યોદય થતાં કેશવ પિતાનું નિત્યકૃત્ય કરી તે નગર જેવાને અંદર ગયો. જતાં ભાગમાં કોઈ પ્રદેશના મધ્ય ભાગે રાજાદિ લેકેને ધર્મોપદેશ આપતા કોઈ આચાર્ય તેના જેવામાં આવ્યા. તેને મહામાંગલ્યરૂપ માનતે કેશવ તત્કાલ ત્યાં ગયા અને તે ગુરુના ચરણમાં નમી પડે અને પછી તેમની આગળ બેઠો. ગુરુએ ધર્મદેશના આપી. દેશનાના અંતે તે નગરના રાજા ધનજરે ગુરુને વિનંતિ કરી – “ભગવન્! હું જરાથી વ્યાપ્ત થયા છું. માટે હું વ્રત ગ્રહણ કરું તો ઠીક, પણ હું અપુત્ર છું, તો મારા રાજ્ય ઉપર કાને સ્થાપિત કરું ? આવું ચિતવન કરતો હું રાત્રે સુઈ ગયો. તેવામાં કઈ દિવ્ય પુરુષે સ્વપ્નમાં આવી મને કહ્યું- “કાલે પ્રભાતે દેશાંતરથી તારા ગુરુ સમીપે કોઈ પુરુષ આવશે. તે સત્પરુષને તારા રાજ્ય ઉપર સ્થાપી તું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy