SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી આત્મપ્રબોધ થઈ તેને ચરણમાં પડ્યા. તે પણ કેશવે તેમનું વચન માન્યું નહીં, આ સમયે યક્ષના શરીરમાંથી એક ભયંકર રૂપવાળા પુરૂષ બાહર નીકળે. તે હાથમાં મુગર લઈ વિકરાળ નેત્રવાળે થઈ તીક્ષણ અને રૂક્ષવાણુ વડે કેશવને આ પ્રમાણે કહેવા લાગ્યો-“અરે! દુષ્ટાત્મા તું મારા ધર્મને દુષિત કરે છે. અને મારા ભક્તોની અવગણના કરે છે? તું હમણા જલદી ભેજન કર. જે નહિ કરે તે તારા મસ્તકના સો ખંડ કરી નાંખીશ. આ વખતે કેશવ હસીને બેલ્યો-“હે યક્ષ ! તું મને શા માટે ક્ષેભ પમાડે છે? ભવાંતરે ઉષાજિત કરેલા પ્રધાન ભાગ્યની ઋદ્ધિએ કરી મને મરણનો ભય જરા પણ નથી.” તેના આ વચન સાંભળી તે યક્ષે પોતાના ભક્તોને કહ્યું-“હે ભક્તી આ માણસના ધર્મગુરૂઓને પકડી લાવે. તેને આની આગળ મારે હણવે છે. કારણ કે તેણે આ કેશવને આવો ધર્મોપદેશ દીધો છે. આવું કહેતા જ તે સેવકોએ જેને કેશપાશ પકડયો છે જે આર્તનાદ કરે છે. એવા ધમધોષ મુનિને ત્યાં લાવવામાં આવ્યા, અને તેમને યક્ષની આગળ મૂક્યા. ત્યારે યક્ષે કહ્યું “અરે મુનિ ! આ તારા શિષ્ય કેશવને અહિં જમાડ, નહિ તે હમણું તને મારી નાખીશ.” ત્યારે તે મુનિએ કેશવને કહ્યું કે-“ભદ્ર! દેવગુરૂ અને સંઘને માટે અકૃત્ય પણ કરવું માટે તું ભેજન કરીલે. અને મને હણવાને તૈયાર થયેલા એવા આ યક્ષથી તું મારું રક્ષણ કર. તેના આવા વચન સાંભળી કેશવ ચિતવવા લાગ્યું. “જેઓ મહાધર્યાદિ ગુણોથી સંપન્ન એવા ધર્મઘોષમુનિ સ્વનને વિષે પણ આવું બેલે નહિ, તેઓ મૃત્યુના ભયથી આવા પાપકામાં અનુમતિ કેમ આપે? માટે નિચ્ચે આ મારા ગુરુ જ નથી. આ યક્ષની કોઈ માયા લાગે છે. આ પ્રમાણે ચિંતવી કેશવ મિાન ધરીને રહ્યો. ત્યારે યક્ષે મુનિ ઉપર મુદગર ઉપાડીને કહ્યું-“અરે કેશવ! તું ભજન કરે, નહિ તો તારા ગુરુને હણું છું. કેશવે નિઃશંકતાથી જણાવ્યું-“અરે માયાવી ! આ મારા ગુરુ નથી. તેવા ચારિત્રના પાત્ર ગુરુ તારી આવી શક્તિને વશ કદાપિ ન થાય.” તે વખતે કલ્પિત મુનિએ કહ્યું-“અરે કેશવ ! હું જ તારે ગુરુ છું. મારું રક્ષણ કર, રક્ષણ કર.” આ પ્રમાણે પિકાર કરતા તે મુનિને યક્ષે મુગરના પ્રહારથી હણું નાંખે. પછી તેણે કેશવને કહ્યું-“અરે ! જો તું ભજન કરીશ તે આ તારા મરેલા ગુરુને પાછે સજીવન કરીશ. અને મેટું અર્ધરાજ્ય આપીશ, નહીં તો હું આ મુદ્દેગરના ઘા વડે તને પણ યમરાજનો અતિથિ કરીશ.” ત્યારે કેશવ હસતે હસતે બે -“અરે યક્ષ! આ મારા ગુરુ હાય જ નહીં. અને હું તેના વચને કરી મારા નિયમનો ભંગ નહીં કરું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy