SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૫૭ કેશવનું વચન સાંભળી યશેધને ક્રોધાતુર થઈને કેશવને આ પ્રમાણે કહ્યું“અરે દુર્વિનિત જે તું મારૂ વચન ઉલંઘે છે તે મારી દૃષ્ટિથી દૂર જા. પિતાના આવા વચન સાંભળી મહાધેયવાન કેશવ તત્કાલ દ્રવ્યાદિક મમતાનો ત્યાગ કરી ઘરની બહાર નીકળ્યોતે વખતે હંસ તેની પછવાડે જવા લાગ્યો. એટલે યશોધને તત્કાલ તેને પકડ, અને ઘણાં વચન કહી તેને લોભાવી દીધા આથી હંસ રાત્રિ જોજન કરવા બેઠો. હવે કેશવે ત્યાંથી નીકળી દેશાંતરે જવા વિચાર કર્યો. માગમાં ઘણા ગામ, નગર તથા આરામ વિગેરે ઉલ્લઘંતે સાત દિવસ નિરાહારપણે એક મોટી અટવામાં આવી પહોંચ્યા. તે અટવીમાં રાત્રિ પડી. એટલે આમ તેમ ભમતા ઘણા યાત્રાળુઓથી યુક્ત એક ચક્ષાયતન જોવામાં આવ્યું. ત્યાં કેટલાએક યાત્રાળુઓ રઈ કરતા તેને જોવામાં આવ્યા. તેઓએ આ કેશવને આવતો જોઈ હર્ષથી આ પ્રમાણે કહ્યું–“હે પાંથ! અહીં આવો અને અમને પુણ્યનું ફળ આપે. અમોએ પારણું કરવાનો આરંભ કરતા તમો અમોને અતિથિ તરીકે પ્રાપ્ત થયા છે. અમે અતિથિની ગવેષણા કરતા હતા. યાત્રાળુઓના આવા વચન સાંભળી કેશવે કહ્યું “હે યાત્રાળુઓ! આ કેવા પ્રકારનું વ્રત કે જેમાં રાત્રિએ પારણું થાય છે? ” યાત્રાળુઓ બેલ્યા- “હે પાંથ! આ માણવા નામે મહાપ્રભાવિક યક્ષ છે આજે તેને યાત્રાને દિવસ છે. અહીં આવેલા લોકો દિવસે ઉપવાસ કરીને રાત્રિને વિષે કોઈ અતિથિને જમાડીને પારણું કરે છે. આમ કરવાથી મહા પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તમે અમાર અતિથિ થાઓ.” યાત્રાળુઓના આ વચન સાંભળી કેશવ બોલ્યો રાત્રે અશન કરવાથી પાપના કારણરૂપ એવા આ પારણમાં હું ભજન કરીશ નહિ. જેમાં રાત્રે પારણું કરવામાં આવે તે ઉપવાસ કહેવાય જ નહિ. ધર્મશાસ્ત્રમાં આઠ પ્રહર સુધી ભેજનને ત્યાગ કરવો. તે ઉપવાસ કહેવાય છે. વળી જેઓ ધર્મશાસ્ત્ર વિરૂદ્ધ તપ કરે છે. તે દુબુદ્ધિ લોકો દુગર્તિમાં જાય છે. કેશવના આવા વચન સાંભળી તે યાત્રાળુઓ આ પ્રમાણે બેલ્યો-“ અરે ભાઈ! આ દેવના બતમાં આવો જ વિધિ છે. માટે અહીં શાસ્ત્રોક્ત વિધિની યુક્તાયુક્ત વિચારણા કરવાની નથી. અમારે અતિથિની શોધ કરતાં ઘણી રાત્રિ ગઈ છે. માટે એ વિચાર મૂકી દઈ તત્કાલ આ પારણું કરવાને તૈયાર થાઓ.” આ પ્રમાણે કહી તેઓ સર્વે ઊભા ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy