SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી આત્મપ્રબોધ અંત આવ્યો નહિ. જ્યારે રાત્રિ પડી ત્યારે તેઓ ઘેર આવ્યા. તેઓ બન્ને પિતાના નિયમને અનુસરી ભજન કર્યા સિવાય સુઈ ગયા. આ પ્રમાણે તેના દ્રષી પિતાએ તેમને એ વ્યાપારમાં એવા જોડી દીધા કે જેથી તેમને આહાર વિના પાંચ રાત્રિઓ પસાર થઈ ગઈ. તે પછી છઠે દિવસે રાત્રે કુટિલમતિ પિતાએ આ પ્રમાણે સારા વચનેથી કહ્યું. વત્સ, જે કાચ મને અનુકૂળ અને સુખદાયિ હોય તે તમારે ઈષ્ટ હોવું જોઈએ. આવી પ્રતીતિ ધારણ કરી હું તમને જે કહ્યું તે પ્રમાણે તમારે કરવું. વળી તમે રાત્રિભોજનને ત્યાગ કર્યો છે. તે વાત મારા જાણવામાં નથી. નહીં તો હું તમને એવા કુલેશકારી વ્યાપારમાં કેમ જોડું, તમે આટલા દિવસ ભૂજન કર્યું નહિ, તેથી તમારી માતાએ પણ ભેજન કર્યું નહિ. તેણીને પણ આજે છઠ ઉપવાસ થયો છે. તે છ ઉપવાસ છ માસ જેવા થઈ પડયા છે. તમારી આ નાની બેન પણ અન્ન ન પામવાથી અતિ ગ્લાન શરીરવાળી થઈ ગઈ છે. મેં જ્યારે તેણીના શરીરની ગ્લાનિ થવાનું કારણ પૂછયું ત્યારે તમારી માતાએ તમારે સર્વ વૃત્તાન્ત મને જણાવ્યો. માટે તમારે હવે આ બાલિકા ઉપર દયા લાવી ભોજન કરવું જોઈએ. એટલે તમારી માતા પણ જમે. વળી પંડિત પુરુષે રાત્રિના પહેલા અર્ધા પહોરને પ્રદોષ કહે છે. અને પાછલા અર્ધ પહારને પ્રત્યુષ કહે છે. અને તે જ કારણથી રાત્રિ લોકોમાં ત્રિયામાં કહેવાય છે. તે અપેક્ષાએ રાત્રિને મુખે ભજન કરવું. તે નિશાભેજન કહેવાતું નથી. આ પ્રમાણે પિતાની વાણીથી જેને ભારે સુધા લાગી છે તેવો વિહેલ થયેલો હંસ કેશવની સન્મુખ જોવા લાગ્યા. પોતાના મોટાભાઈ હંસને કાયર થયેલ જોઈ તે નિશ્ચલ ચિત્તવાલે થઈ પિતા પ્રતિ આ પ્રમાણે બે-પિતાજી જે કાંઈ તમને સુખદાયક હોય તે હું કરું પણ જે મને પાપરૂપ હોય તે તમને સુખને માટે કેમ થાય ? વળી જે તમે માતાના વાત્સલ્ય વિષે કહો છે તે વાત્સલ્ય ધમકાર્યમાં શલ્યરૂપ છે. કારણ કે સર્વ લેક પિોતાના કરેલા કમને ફળને ભેગવે છે. તે કારણે કોણ કોને માટે પાપ કર્મ કરે? વળી જે તમે ત્રિયામાનું સ્વરૂપ કહ્યું તે તે કથનમાત્ર છે. તત્ત્વથી તે દિવસના મુખે અને અને રહેલું જે મુહૂત રાત્રિના સમીપવતી હોવાથી રાત્રિ તુલ્ય જ છે. માટે તેમાં ઉત્તમબુદ્ધિવાળાએ ભજન ન કરવું જોઈએ. અને હમણા તે રાત્રિ છે. તેથી તેમાં તે કદિ પણ ભેજન થાય નહિ. પિતાજી તમારે મને તે વિષયમાં વારંવાર કહેવું નહિ. આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy