SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ દ્વિતીય પ્રકાશ આ ગાથાર્થ થયે હવે ભાવાર્થ–આ પ્રમાણે છે - ૧ એક માસ પયત શંકાદિ દોષ તથા રાજાભિયોગ આદિ છ આગાર વજતપણે કરી કેવલ શુદ્ધ સમ્યકૃત્વને ધારણ કરવાથી પહેલી પ્રતિમા થાય છે. ૨ બે માસ પર્યત અતિચાર રહિત અને અપવાદ વર્જિત વ્રતને અને સમ્યકૃત્વને ધારણ કરવાથી બીજી પ્રતિમા થાય છે. ૩ ત્રણ માસ પયત સમ્યક્ત્વ અને વ્રત સહિત પ્રતિદિન ઉભય સંદયા સામાયિક કરવાથી ત્રીજી પ્રતિમા થાય છે. ૪ ચાર માસ સુધી પ્રત્યેક માસે ૬ પવને વિષે ચાર પ્રકારે પિષધ કરવાથી ચોથી પ્રતિમા થાય છે. પ પાંચ માસ પયત સ્નાન રહિત દિવસે પ્રકાશવાળા ભાગમાં ભેજન કરતા અને રાત્રે સર્વથા ભેજનનો ત્યાગ કરતા પેહરવાના વસ્ત્રો કચ્છ નહિ બાંધતા દિવસે બ્રહ્મચારી અને રાત્રે અપવતિથિમાં સ્ત્રીઓનું અને તેના ભેગનું પરિમાણ કરતા અને પવતિથિએ રાત્રે ચટાદિકને વિષે કાત્સગ કરતા પાંચમી પ્રતિમા થાય છે. અહિં રાત્રિભેજન વજેવા માટે સૂચવ્યું છે. શ્રાવકોએ તો કેશવાદિકની પેઠે કોઈ કાલે પણ રાત્રિભેજન ન કરવું જોઈએ. પરંતુ જે કોઈ શ્રાવક તે નિયમ કરવાને શક્તિમાન ન હોય તેને પણ પાંચમી પ્રતિમાથી આરંભીને અવશ્ય રાત્રિ ભેજનનો ત્યાગ કરવો તે કેશવનું વૃત્તાન્ત આગળ કહેવામાં આવશે. ૬ છ માસ ચાવતું દિવસ અને રાત્રિને વિષે સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરવાથી છઠી પ્રતિમા થાય છે. ૭. સાત માસ પર્યત અચિત્ત અનાદિક ભેગવનારને સાતમી પ્રતિમા થાય છે. ૮ આઠ માસ પયત આરંભનો ત્યાગ કરવાથી આઠમી પ્રતિમા થાય છે. ૯ નવ માસ પયત બીજા પાસે પણ આરંભ નહિ કરાવનારને નવમી પ્રતિમા થાય છે. ૧૦ દશ માસ પયત મુરમુંડ અને શિખાને ધારણ કરતા અથવા ઉદિષ્ટ આહારનો ત્યાગ કરતા દશમી પ્રતિમા થાય છે. ૧૧ અગિયાર માસ પયત મુરમુંડ અથવા લેચે કરીને લુપ્તકેશ એટલે કેશ રહિતપણે રજોહરણ તથા પાત્રાદિ સાધુના ઉપકરણે ગ્રહણ કરી સાધુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy