SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી આત્મપ્રબંધ પ્રાન્ત અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અનુક્રમે તે મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિપદને પ્રાપ્ત થશે એવી રીતે નંદિનીપિતાનો વૃત્તાન્ત છે. દશમા તેલીપિતા શ્રાવકને વૃત્તાન્ત શ્રાવસ્તિનગરમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતો હતો. તેને ફાલ્ગની નામે સ્ત્રી હતી. તેની સમૃદ્ધિ અને બાર વ્રત પૂર્વની જેમ સમજવો. તે પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ઉપર સ્થાપી તેની આજ્ઞાથી પૈષધશાળામાં આવ્યો અને શ્રાવકની અગીયાર પ્રતીમા આરાધી ખાતે સાધમ દેવલોકે અરૂણાભવિમાનમાં ચાર પલ્યોપમની આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ પ્રમાણે દશમા તેતલીપિતા શ્રાવકનો વૃત્તાન્ત છે. આ દશે શ્રાવકોને પનરમા વર્ષમાં ગૃહત્યાગ કરવાને અધ્યવસાય થયે હતો. અને તે સર્વેએ વીશ વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા હતા. તેમજ તેઓ સવે સૌધર્મ દેવલેકે સમાન આયુષ્ય ઉત્પન્ન થયા હતા. તે દશ શ્રાવકેમાં પહેલા, છઠા, નવમા અને દશમા શ્રાવકને ઉપસર્ગો થયા નથી. બાકીના છે શ્રાવકોને ઉપસર્ગો થયેલા છે. પહેલા શ્રાવને શ્રી ગૌતમસ્વામી સાથે પ્રશ્નોત્તર થયા અને છઠા શ્રાવકને દેવની સાથે ધમચર્ચા થઈ હતી. આ દશ શ્રાવકના બાર ત્રત ઉપરના દૃષ્ટાંતો શ્રી ઉપાસકદશાંગ સૂત્રને અનુસરે લખેલા છે. આ વૃત્તાન્ત સાંભળી બીજા પણ સમ્યગદષ્ટિ જીવોએ એવી રીતે બાર ગત પાળવા તત્પર રહેવું. શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ " १ देसण २ वय ३ सामाइय ४ पोसह ५ पडिमा ६ अबंभ । ७ सचित्ते ८ आरंभ ९ पेस १० उद्दिष्ट ११ वजए समणभूए य ॥१॥" ૧ દર્શન સમ્યકત્વ પ્રતિમા, ૨ વ્રત અણુવ્રતાદિ, ૩ સામાયિક, ૪ પિષધ, પ કાત્સગ પ્રતિમા. આ પાંચ પ્રતિમાને વિષે વિધાન રૂપે કરીને અભિગ્રહ વિશેષરૂપ પ્રતિમા જાણવી. ૬ અબ્રહ્મ ૭ સચિત્ત એ બે પ્રતિમા ત્યાગરૂપે જાણવી. ૮ આરંભ પોતાની જાતે પાપક્રિયા કરવી તે, ૯ પૃષ્ય એટલે બીજાને પાપ કમને વ્યાપાર કરાવવો. ૧૦ ઉદિષ્ટ એટલે કે તે તે શ્રાવકને ઉદેશીને સચેતન અથવા અચેતન અથવા પદ્ધ આહારદિક તે ત્રણેને વર્જક તથા આઠમી આદિ પ્રતિમાને ધારક. ૧૧ શ્રમણભૂત એટલે સાધુ તુલ્ય–એ અગીચાર પ્રતિમા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy