SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૫૧ પહેલી નરકે લેલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ નારકી પણે ઉત્પન્ન થઈશ. રેવતિ આ તેના વચન સાંભળી ભય પામી મનમાં આ પ્રમાણે ચિતવવા લાગી “આજે આ મહાશતક મારી ઉપર રૂછમાન થયું છે. તેથી તે કોઈ કદથનાથી મને મારશે. આવું ચિતવી તે હળવે હળવે ત્યાંથી પાછી ઓસરીને પોતાને ઘેર આવી અને દુઃખે રહેવા લાગી. તે પછી તેણી સાત દિવસની અંદર કાળ કરી પહેલી નરકે લુચ્ચય નામના નરકાવાસમાં ઉત્પન્ન થઈ. આ અરસામાં શ્રી વીર પરમાત્મા સમોસર્યા. ત્યાં એકઠી થયેલી પર્ષદાને પ્રભુએ ધર્મદેશના આપી. તે સાંભળી પર્ષદા પોતપોતાના સ્થાને ગયા પછી શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને બેલાવી શ્રાવક મહાશતકને કૌધ ઉત્પન્ન થવા વગેરે બધો વૃત્તાન્ત જણાવી આ પ્રમાણે કહ્યું.ગૌતમ ! પિષધશાળામાં છેલ્લી સંલેખને કરી જેણે પોતાના શરીરને દુર્બળ કર્યું છે અને જેણે ભાત પાણીના પચ્ચકખાણ કર્યા છે. એવો મહાશતક શ્રાવક બીજા પ્રત્યે સાચા હોય તો પણ અપ્રીતી કારી વચનો બોલે તે ઘટિત નથી માટે તમારે મહાશતક પાસે જવું અને તેને કહેવું કે “હે મહાશતક તમે રેવતિ પ્રતિ સત્ય વચન કહ્યા પણ તે અનિષ્ટ વચન હોવાથી અઘટિત હતા માટે તેની આલોચના કરે.” પ્રભુના આ વચનથી ગૌતમ મહાશતકને ઘેર ગયા તે ગૌતમ મુનિને આવતા જોઈ શ્રાવક મહાશતક ખુશી થયો. અને તેણે તેમને ભાવપૂર્વક વંદના કરી. પછી ગૌતમે શ્રી વીર ભગવાનના વચનો તેમના નામથી કહ્યા. એટલે તે મહાશતકે ગૌતમસ્વામીના વચનને અંગિકાર કરી તે સ્થાનકની આલોચના લીધી. પછી ગૌતમસ્વામી ત્યાંથી નીકળી શ્રી વીર પ્રભુની પાસે આવ્યા. તે પછી મહાશતક શ્રાવક સમ્યક પ્રકારે શ્રાવકધર્મને પાળી ખાતે અનશન કરી અરૂણવતંસક વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે એવી રીતે મહાશતક શ્રાવકનો વૃત્તાન્ત છે. નવમા નંદિનીપિતા શ્રાવકને વૃત્તાન્ત શ્રાવસ્તીનગરમાં નંદિનીપિતા નામે એક ગાથાપતિ શ્રાવક રહેતો હતો. તેને અશ્વિની નામે સ્ત્રી હતી. તેની પાસે દ્રવ્ય અને ગોકુળ આનંદ શ્રાવક જેટલા હતા. અને બાર ત્રત પણ તેણે આનંદ શ્રાવકની પેઠે ગ્રહણ કર્યા હતા. તે ચંદ વર્ષ અતિક્રમણ કરી અનુક્રમે પુત્રને કુટુંબ ઉપર સ્થાપી પૈષધશાળામાં આવી અનેક પ્રકારને ધમકૃત્યથી આત્માને ભાવી શ્રાવકની અગીયાર પ્રતિમા આરાધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy