SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી આત્મપ્રબોધ જેમ એષણીય અશનાદિકને ગ્રહણ કરતા અદ્યાપિ સ્વજનને વિષે અવ્યવછિન્ન સ્નેહવાળે તથા ગોચરીને અવસરે જેણે પ્રતિમા અંગીકાર કરેલી છે. એવા શ્રાવકને ભિક્ષા આપે એ પ્રકારે બેલનારને અગીયારમી પ્રતિમા હોય છે. આ કાળનું માન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જાન્યપણે તો તે પ્રત્યેક અગીયાર પ્રતિમા અંતમુહૂર્ત પ્રમાણ વાળી છે તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં સંભવે છે તે સિવાય સંભવતી નથી. અહીં પ્રથમની સાત પ્રતિમા કઈ પ્રકારતરે કહેલી છે તે વિષે વિચાર પ્રવચનસારેદ્દાર ગ્રંથમાંથી જાણી લે. પૂર્વે સૂચવેલું કેશવનું દષ્ટાંત કંડિનપુરનગરને વિષે ચરોધના નામે એક વણિક રહેતે હતે. તેને રંભા નામે સ્ત્રી હતી, તેણુના ઉદરમાંથી હંસ અને કેશવ નામે બે પુત્રા ઉત્પન્ન થયા, તે બન્ને પુત્રો અનુક્રમે વૈવન વયને પામ્યા. એક વખત તેઓ કીડા કરવા વનમાં ગયા. ત્યાં ધમધેષ નામે એક મુનિ તેમના જોવામાં આવ્યા, તેમને જોતા જ તેઓને વિવેક ઉત્પન્ન થયે. તત્કાલ વંદના કરી તેમની સમીપે બેઠા. ગુરૂએ ધર્મોપદેશ આપ્યો. તે ઉપદેશમાં રાત્રિ ભોજનને માટે આલોક તથા પરલોક સંબંધી ઘણા દોષ બતાવ્યા તે આ પ્રમાણે રાત્રિને વિષે કીડા કરવાને માટે નિશાચર-રાક્ષસ દેવતાઓ સ્વેચ્છાથી ભુતલ ઉપર ભમે છે. તેઓ રાત્રિ ભેજન કરનારાઓને તત્કાલ છલ કરે છે. જો ભેજન કરવા યોગ્ય અન્નાદિકમાં કડીઓ આવે તો ભક્ષણ કરનારની બુદ્ધિનો નાશ કરે છે. જે મક્ષિકા આવે તો વમન થાય છે. જે જૂ આવે તો જલેદારને રેગ થાય છે. જે કરેલીયે આવે તો કોઢ રોગ નીકળે છે. જે વાળ આવે તે ગળે વળગવાથી સ્વરને ભંગ કરે છે. કાંટે અથવા લાકડાને કટક આવે તો ગળે પીડા કરે છે. જે વીછી આવે છે અથવા ઉપર થી સપનું ગરલ પડે તો મરણાંત કષ્ટ ઉત્પન્ન કરે છે. તે વખતે ભાજન–પાત્ર વગેરેને ધોવાથી લધુ જીવોની હિંસા થાય છે. ઈત્યાદિ આલોક સંબંધી દોષ છે. અને નરક પામવા રૂપ પરલોક સંબંધી ઘણા દોષો રહેલા છે. તેથી તે રાત્રિ ભેજનને ઘણું ઘણું દોથી દુષ્ટ માની સંસાર ભીરૂ પ્રાણુંઓએ તેને ત્યાગ કરવામાં ઉદ્યમ કરો. આ પ્રમાણે જેમને ગુરૂના ઉપદેશ વચન સાંભળી પ્રતિબંધ થયે છે. એવા બન્ને ભાઈઓએ ગુરૂની સાક્ષીએ હર્ષપૂર્વક રાત્રિ ભેજનના ત્યાગનો નિયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy