SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४० શ્રી આત્મ પ્રબંધ કરવી.” આનંદના આ વચન સાંભળી ગૌતમ હદયમાં શંકિત થઈ ગયા. પછી તત્કાલ ત્યાંથી નીકળી તૂત પલાશ ચેત્યમાં જ્યાં શ્રી વીરપ્રભુ રહેલા છે. ત્યાં આવી ગમનાગમન પ્રતિક્રમણાદિપૂર્વક સ્વામીને નમી સવ વૃત્તાંત નિવેદન કરી આ પ્રમાણે પૂછ્યું, “ ભગવન! તે સ્થાનક આનંદને આલોચવા યોગ્ય છે કે મારે આલેચવા યોગ્ય છે?” પ્રભુએ કહ્યું, “તું જ તે સ્થાનને આલેવ અને તેને માટે આનંદને ખમાવ.” ભગવાનના આ વચનને વિનયથી અંગીકાર કરી પોતે ગૌતમે તે સ્થાનકની આલેચનાદિ લઈ પછી આનંદ શ્રાવક પાસે આવી તે અથને ખમાવ્યો હતો તે પછી આનંદ શ્રાવક બહુ પ્રકારના શીલત્રતાદિ ધમ કૃત્ય વડે પિતાના આત્માને ભાવી, વિશ વર્ષ પચત શ્રાવક પર્યાય પાલી છેવટે એક માસની સંલેખણ કરી સમાધિપૂર્વક કાલ કરી સૌધર્મ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચવીને તે મહાવિદેહને વિષે સિદ્ધિપદને પ્રાપ્ત થશે. એ પ્રકારે આનંદ શ્રાવકનું વૃત્તાંત છે. કામદેવ શ્રાવકનો વૃત્તાંત ચંપાનગરીમાં કામદેવ નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. એ અઢાર કેટી સેનૈયાના દ્રવ્યનો સ્વામી હતો. તેટલા દ્રવ્યમાંથી છ કેટી સુવણ દ્રવ્ય નિધાનમાં, છ કેટી વ્યાજમાં અને છ કોટી વ્યાપારમાં એમ ત્રણ ભાગે તેનું દ્રવ્ય રહેલું હતું. તે સિવાય દશ દશ હજાર ગાયોવાળા છે ગોકુલે તેની પાસે હતા. એક વખતે તે નગરની સમીપે આવેલા પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં શ્રી વીરપ્રભુ સમોસર્યા. આ ખબર સાંભળી કામદેવ તેમને વંદના કરવા ગયો અને આનંદ શ્રાવકની જેમ તેણે પ્રભુ પાસે બાર વ્રત અંગીકાર કર્યો. અનુક્રમે એ ત્રિતનું પાલન કરતાં કામદેવે એક સમયે પિતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી પતે પિષધશાળામાં આવી પિષધ વ્રત લઈ બેઠો. અદ્ધ રાત્રિનો સમય થતાં કોઈ એક માયાવી મિથ્યાત્વી દેવ પ્રગટ થઈ તેની પાસે આવ્યા. તે વિકરાળ પિશાચનું સ્વરૂપ વિકવી હાથમાં તીક્ષ્ણ ધારવાળું ખડ્ઝ લઈ તેની પાસે ઉભે રહ્યો. તેણે કામદેવને આ પ્રમાણે કહ્યું, “અરે કામદેવ! તું નહીં પ્રાથવા ગ્યની પ્રાર્થના કરનાર, બુદ્ધિ લજ્જા અને લક્ષ્મી વગરને અને ધમ પુણ્યવડે સ્વર્ગ તથા મોક્ષની વાંછના રાખનારે છે. પણ હવે તારા શીલ ત્રતાદિ તથા ઔષધો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy