SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૪૧ પવાસાદિને સત્વર ત્યાગ કરી દે. જે તું ત્યાગ નહીં કરે તે હમણાં જ આ તીર્ણ ખડગવડે તારા શરીરને ખંડ ખંડ કરી નાંખીશજેથી પીડા પામતો મરણને શરણ થઇશ.” પિશાચે આ પ્રમાણે કહ્યું તો પણ કામદેવ તેથી ભય પામ્યું નહીં; તે અધિક ક્ષેભ પામ્યા સિવાય, અચલિત, મૌનધારી અને ધમયાનથી યુક્ત થઈને રહ્યો. તે મિથ્યાત્વી દેવે તેને નિશ્ચલ જાણું તે પ્રમાણે બે ત્રણ વખત કહ્યું, પરંતુ ધમવાનું કામદેવ તેનાથી જરા પણ ચલાયમાન થયો નહીં. તેથી તે દેવને ભારે કેપ થઈ આવ્યો. ભૃકુટી ચડાવી તેણે તેની પર ખડ્ઝ ઉગામ્યું. તો પણ કામદેવ જરાએ ડગે નહીં. પછી તેણે ખગને ઘા કરી તેના શરીરના ખંડ કરી નાંખ્યા, તથાપિ કામદેવે તે પીડા સહન કરી અને તે પિતાના ધર્મને વિષે નિશ્ચલ રહ્યો. જ્યારે કામદેવ પોતાના પિશાચના રૂપથી ચલિત થયે નહીં એટલે મિથ્યાત્વીદેવ હૃદયમાં ખેદ પામતો હળવે હળવે પિષધશાળામાંથી બહાર નીકળે અને તેણે તે પિશાચના રૂપને છોડી દીધું. પછી તેણે હસ્તિનું રૂપ વિકુવ્યું. એક મહાન શુંઢા દંડને ઉછાળતો, મદોન્મત્ત થઈને મેઘની જેમ ગુલગુલાયમાન શબ્દ કરતે, અને ભયંકર આકારને ધારણ કરતો તે પાષધશાળામાં આવ્યો. તેણે ગર્જના કરીને કહ્યું, “અરે કામદેવ, જો તુ મારુ કહેલ નહીં માને તો હમણા આ મારી શુંઢ વડે ગ્રહણ કરી તને આકાશમાં ફેંકીશ; અને મારા તીક્ષ્ણ દ રૂપ હળવડે તને ભેદી નાંખીશ. વળી નીચે નાંખી પગવડે કરી મસળીશ. તેણે આ પ્રમાણે કહ્યું, તે પણ કામદેવ જરા પણ ભ પામે નહિ, ત્યારે તે દેવતાઓ જેમ કહ્યું હતું તેમ કરી બતાવ્યું તે પણ તે શ્રાવકે તે મહાવેદના સહન કરી અને તે ધમ ધ્યાનમાં સ્થિર રહ્યો. જ્યારે તે દેવ હસ્તીરૂપે પણ તે કામદેવને ક્ષેભ પમાડવા અશક્ત થયે, એટલે તે હળવે હળવે પાછે સરીને પૈષધશાળામાંથી બહાર ગયો અને ત્યાં જઈ હસ્તિના રૂપનો ત્યાગ કર્યો. પછી તેણે સપનું રૂપ વિકવ્યું. મહા વિષ અને કેધથી પૂર્ણ, કાજળના પુજના જેવા વણવાળ, અતિ ચંચળ જિલ્લાને ધરનાર, ઉત્કટ, પ્રકટ અને વક્ર જટાધારી, અને કઠિન ફણું ટોપ કરવામાં દક્ષ એવો ભયંકર સર્પ બની તે પૌષધશાળામાં આવ્યા. અને તેણે કામદેવને આ પ્રમાણે કહ્યું, “અરે કામદેવ ! જે તું મારું વચન નહીં માને તો હમણાં જ હું સરસર શબ્દ કરતે તારી કાયા ઉપર ચડીને પશ્ચિમ ભાગવડે ત્રણવાર આંટા દઈ તારી ગ્રીવાને વીંટી ભરડો લઇશ અને તીણ વિષથી વ્યાસ એવી દાઢ વડે તારા ઉરસ્થળને ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy