SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ દ્વિતીય પ્રકાશ કુટુંબના સ્વામિત્વ ઉપર સ્થાપી, તે સર્વને અને પુત્રને પૂછી પતે કલ્લાક સંનિવેશમાં પિતાની પિષધશાળામાં આવ્યા. ત્યાં ભૂમિને પ્રમાઈ, અને ઉચ્ચાર તથા પ્રશ્રવણની ભૂમિને પડીલેહી દર્ભના સંથારા ઉપર તે આરૂઢ થયા. ત્યાં તેણે શ્રાવકની પહેલી પડિમા અંગીકાર કરી. તેને સૂત્રોક્ત વિધિપૂર્વક આરાધી અનુક્રમે અગીયાર શ્રાવકની ડિમા આરાધી, તે પછી તપથી જેણે શરીરને સુકાવી દીધું છે એવા આનંદ શ્રાવકને એક દિવસે નિર્મલ અધ્યવસાયથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેવામાં એક દિવસે તે વાણિજ્ય ગામની બહાર શ્રી વિરપ્રભુ સસર્યા. ત્યારે પ્રભુને પૂછીને ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ગણધર ત્રીજી પિરસીમાં તે વાણિજ્ય ગામમાં યથારુચિ આહાર ગ્રહણ કરી ગામની બહાર નીકળતાં કલ્લાક સંનિવેશની અતિ નજીક નહીં તેમ અતિ દૂર નહીં તેમ વિચરતાં લેકના મુખથી આનંદ શ્રાવકની તપની પ્રવૃત્તિ તેમના સાંભળવામાં આવી. તત્કાલ પોતે તે પ્રત્યક્ષ જેવા કલ્લાક સંનિવશમાં આવેલી પૈષધશાળામાં આવ્યા. ત્યારે આનંદ શ્રાવક તે ભગવાન ગૌતમને આવતા જોઈ ઘણા જ ખુશી થયા અને તેમને વંદના કરી આ પ્રમાણે બેલ્યો-“હે સ્વામી ! તપસ્યાને લઈને જેના શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલા છે એ હું આપની સમીપે આવવાને શક્તિમાન નથી; માટે આપ મારી ઉપર કૃપા કરીને પધારે. તે વખતે ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા છે, ત્યાં આવ્યા. સ્વામીને આવેલા જોઈ આનંદ શ્રાવકે તેમને મસ્તક વડે ત્રણવાર ચરણમાં નમી આ પ્રમાણે પૂછયું-“હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય કે નહીં ? ” ગૌતમસ્વામીએ કહ્યું, “હા ઉત્પન્ન થાય,” ત્યારે આનંદે કહ્યું, “મહારાજ! મને પણ અવધિજ્ઞાન થયું છે. તેનાથી હું પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાંચ પાંચસે જન ક્ષેત્ર રૂ૫ લવણસમુદ્ર પર્યત હું દેખી શકું છું અને ઉત્તર દિશામાં હિમવંત વર્ષધર પયત જાણી શકું છું. ઊઠવલેકે સૌધમ દેવલેક યાવત્ અને અધેભાગે રત્નપ્રભા પૃથ્વીના લેલુચ્ચય નામના નરકવાસ પર્યત જાણું છું –દેખું છું. આનંદના આ વચન સાંભળી ગૌતમમુનિ બેલ્યા, “ભદ્ર! ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, પણ એટલું બધું મોટું ન થાય, માટે આ સ્થાનનું આલેચન– નિંદનાદિક કરે.” આનંદે કહ્યું, “હે સ્વામી! જિનવચનમાં સાચા અર્થની આલેયણા હોય છે? ત્યારે ગૌતમે કહ્યું, “એમ ન હોય” આનંદ બેલ્યા, “મહારાજ! જે એમ છે તો પછી તમારે જ એ સ્થાનકની આલોચના નિંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy