SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૩૧ શેઠ મહાન્ લાભને પામ્યા હતા, અને પુરણુ નામે શેઠ ભાવ વિના નઠારા ફળને પામ્યા હતા. આગમમાં એમ . સ‘ભળાય છે કે, “ જિનદત્તરશેઠ પ્રભુના સ`યાગ પામી દ્રવ્યથી દાન ન દેતાં છતાં ભાવથી દાન આપી મહાલાભને પ્રાપ્ત થયા હતા અને પુરણોઠ દ્રવ્યથી દાનને દેતે પણ ભાવ વિના જિનદત્તની જેમ મહાલાભને પામ્યા નહિ અર્થાત્ દ્રવ્ય પ્રાપ્તિરૂપ અલ્પલાભને તે ભાગી થયા હતા. કથા એક દિવસે શ્રી વીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં વિચરતા વિચરતા વિશાળા નગરીની બહાર આવેલા ખલદેવના દેહરામાં ચાર માસ સુધી ચતુર્વિધ આહારના પચ્ચક્ખાણ કરી કાયાત્સગે` રહ્યા હતા. તે નગરમાં ઉત્કૃષ્ટપણે જૈન ધર્મોમાં રક્ત એવા જિનદત્ત (જ) નામે શેઠ રહેતા હતા. તે એક વખતે બલદેવના મંદિરમાં આવી ચડી. ત્યાં શ્રી વીર પ્રભુને જોઈ વદના કરી તે પેાતાના મનમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા,—“આ સ્વામીએ ઉપવાસ કરેલ છે. તે સ્વામી પ્રાતઃકાલે અવશ્ય પારણું કરશે તે વખતે હું આ પ્રભુને પડેલાભીશ.—તેમને આહાર પાણી વ્હારાવીશ.” આ પ્રમાણે તે દરાજ તે પ્રભુ પાસે આવતા અને આવી ભાવના ભાવતા હતા. તેમ કરતાં પક્ષ, માસ વ્યતીત થવા લાગ્યા, તેને ગણતા તે શેઠ નિમલ અધ્યવસાયવાલા થતા હતા, તેમ કરતાં ચાર માસ વ્યતીત થઇ ગયા. ચાતુર્માસ્યને અંતે પારણાને દિવસે તે શેઠ શુદ્ધ આહારની સામગ્રી મેળવી અપેારે પેાતાના ઘરના દ્વાર ઉપર બેઠા, પ્રભુના આગમનના માને જોતા તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યા—“હમણાં શ્રી વીરસ્વામી અહીં પધારશે ત્યારે હું મસ્તકે અજલિ જોડી પ્રભુની સન્મુખ જઈ તેમને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી ઘરમાં લઈ જઇશ, ત્યાં ભક્તિપૂર્વક પ્રધાન પાશુક અને એષણીય અન્ન પાનાદિકથા પ્રભુને પડેલાભીશ, અને પારણુ કરાવીશ. તે પછી પ્રભુને નમી કેટલાંક ડગલાં પ્રભુની પાછળ જઈશ. ત્યારબાદ હું. મારા આત્માને ધન્ય માની બાકી રહેલ અન્નાદિકને આહાર કરીશ.' આ પ્રમાણે શેઠ ભાવનામય મનારથા કરતા હતા, તેવામાં શ્રી વીરપ્રભુ ભિક્ષાને માટે વિચરતા પુરણશેઠના ઘરે પધાર્યા. તે પુરશેઠ મિથ્યાત્વી હતા, તેથી તેણે દાસીને હાથે પ્રભુને અડદના આકુળા વહેારાવ્યા. તત્કાલ સત્પાત્રદાનના માહાત્મ્યથી દેવતાએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. તે સમયે તે નગરને રાજા અને ખીજા ઉત્તમ લેાકેા પુરણોને ઘેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy