SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી આત્મ પ્રબંધ એકઠા થયા અને તે શેઠની ભારે પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રી વિરપ્રભુ અડદના બાકુળાથી પારણું કરી ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. અહિં જીર્ણ શેઠ આકાશમાં થતા દેવતાના દુંદુભિના નાદને સાંભળી વિચાર કરવા લાગ્યો--“અહા ! મને નિર્ભાગીને ધિક્કાર છે, હું સવ રીતે અન્ય છું, કે શ્રી વીર પ્રભુ મારે ઘેર ભિક્ષા લેવાને પધાર્યા નહીં અને તેમણે બીજે ઠેકાણે પારણું કર્યું. મારા સર્વ મનોરથે નિફળ થઈ ગયા.” આ પ્રમાણે તે શેઠ અફસેસ કરવા લાગ્યો. આ અરસામાં તેજ દિવસે તેજ નગરમાં શ્રી પાર્શ્વનાથના સંતાનિક કોઈ કેવલજ્ઞાની મુનિ મહારાજ સમોસર્યા. તે ખબર જાણું રાજા અને નગરના લેક તેમને વંદન કરવાને ગયા. તે વખતે રાજાએ તે કેવલી ભગવાનને પૂછયું, સ્વામી! અમારા નગરમાં કર્યો વ પુચવાનું છે ?” કેવળી ભગવાને કહ્યું, “ રાજા, આ નગરમાં જીણશેઠના જેવો કોઈ પુણ્યવાન નથી.” રાજાએ કહ્યું, “મહારાજ તે જીર્ણશેઠે શ્રી વીરપ્રભુને પારણું કરાવ્યું નથી. પરંતુ પુરણશેઠે પારણું કરાવ્યું છે, તે તે પુરણશેઠ તેનાથી પુણવાનું કેમ નહીં ?” ત્યારે કેવલી ભગવાને જીર્ણશેઠની ભાવનાનું સ્વરૂપ મૂળથી માંડીને કહી સંભળાવ્યું. પછી વિશેષમાં કહ્યું કે, “પુરણશેઠે પ્રભુને દાન આપ્યું, પણ તે દ્રવ્યથી આપ્યું છે અને જીણશેઠે પ્રભુને ભાવથી દાન આપ્યું છે. વળી તે છણશેઠે ભાવસમાધિને ધારણ કરી બારમા દેવલોકે જવા યોગ્ય એવું કર્મ ઉપાર્જન કર્યું છે. જે તે જીણશેઠે તે વખતે દેવદુંદુભિને શબ્દ સાંભળ્યા ન હોત તો તે તત્કાળ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરત. અને પુરણશેઠે તે ભાવ શૂન્યપણે દાન આપ્યું છે. તે સુપાત્રદાન કરવાથી સુવર્ણવૃષ્ટિ વગેરેને પ્રાપ્ત થયેલ છે. પણ તેથી કાંઈ અધિક ફળ પામેલ નથી.” આ પ્રમાણે તે કેવલી ભગવાનના વચન સાંભળી રાજા વગેરે સર્વે તે જીર્ણશેઠની પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. જીર્ણશેઠ ચિરકાળ સુધી શુદ્ધ રીતે જિનેશ્વરને ધમ આરાધી બારમે દેવલોકે ગયે હતો. આ પ્રમાણે દાન આપવામાં ભાવશુદ્ધિને વિષે જીર્ણશેઠની કથા કહેવાય છે, તે ઉપરથી બીજા શ્રદ્ધાળુ શ્રાવકોએ દાનની ક્રિયામાં નિર્મળ ભાવ ધારણ કરે, કે જેથી સવ સમૃદ્ધિ પિતાની મેળે પ્રગટ થાય છે. અહીં આ પ્રમાણે ભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy