SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી આત્મ પ્રબંધ નિજેરાનું હેતુ નથી. શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે, “શ્રાવક તથા પ્રકારના અસંયતિ, અવિરતિ, તથા પાપકર્મના જેણે પચ્ચખાણ કર્યા નથી તેવા પ્રત્યે ફાસુ, અફાસુ, એષણીય, અનેષણીય, અસણ, પાણ, ખાઈમ અને સાઈમને પ્રતિલાભતા (આપતા) છતાં શું ઉપાર્જન કરે ?” પ્રભુએ કહ્યું, “હે ગૌતમ! તે એકાંત પાપકર્મ ઉપજે, પણ તેને કાંઈ પણ નિર્જરા નથી. હવે એમ છે તો શ્રાવકોએ સાધુ સિવાય બીજા કોઇ ઠેકાણે દાન આપવું નહીં, એમ થયું, ગુરુ કહે છે, “એમ નથી. આગમને વિષે અનુકંપાદાન નિષેધ્યું નથી.” પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, “વં પુજા ઢાળ, સંઘ લો વિદિ સમવાળો કg1 ટાળે કુળ, famfટું ન યાવિ પરિસિદ્ધ' ? “જે સુપાત્રદાનના લક્ષણો વિધિ કહ્યો છે તે મોક્ષને અથે કરવામાં આવતા દાનને આશ્રીને છે. પણ જે કમનિજેરાને અણુચિતવીને જ કેવલ કૃપાએ કરીને જ દેવાય તે અનુકંપાદાન કહેવાય છે. તે કૃપાલુ જિનભગવંતે કઈ વખત પણ નિષેધ્યું નથી.” ૧ આ કારણને લઈને શ્રીરાજપક્ષીય ઉપાંગમાં પ્રદેશ રાજાને કેશીગણધરે કહ્યું છે કે, “હે પ્રદેશી ! તું પૂવે રમણિક થઈને અરમણિક ન થઈશ.” તે ઉપરથી પ્રદેશી રાજાએ પોતાના દેશના ચાર ભાગ કરી, તેમાં એક ભાગે દીન –અનાથાદિકને માટે નિરંતર દાનશાળા પ્રવર્તાવી હતી; તે તેટલા માટે પ્રવર્તાવી હતી કે, દાનના ત્યાગથી જિનમતની નિંદા ન થાઓ. એટલે જે તે બીજા દાનનો તદન ત્યાગ કરે તો જિનમતની નિંદા થાય. તેથી શાની મહારાજાએ કેઇ ઠેકાણે અનુકંપાદાન નિષેધ્યું નથી. જે વળી જગદગુરુએ શ્રાવકોને સર્વ ઠેકાણે દાન કરવાની આજ્ઞા ન દીધી હતી તે તંગિકાનગરીના શ્રાવકેના વર્ણનના અધિકારમાં કહેલું છે કે, “જેને વિસ્તારવંત-પ્રચુર ભાત પાણી છે” ઇત્યાદિ વિશેષણો આપ્યા છે, તેવા વિશેષણ ન આપતાં કેવલ સાધુદાનમાં જ પ્રચુર અન્ન આપવું એમ કહેત, આ ઉપરથી નિશ્ચય થયો કે, કમ નિજાને માટે જે દાન દેવું, તે સાધુઓને જ દેવું. સાધુઓને દાન દેવાથી કમની નિર્જરા થાય છે. અને જે અનુકંપાદાન છે, તે બીજા સર્વને દેવું. સુપાત્રદાનને માટે વિશેષ કહે છે " भयेनलोभेन परीक्षयावा, कारुण्यतोऽमर्षवशेन लोके ।। स्वकीर्ति प्रश्नार्थितया च दानं, नाहं ति शुद्धा मुनयः कदापि" ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy