SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી આત્મ પ્રબંધ આહાર, દેહસત્કાર, તથા ગૃહના વ્યાપારની વિરતિ અને બ્રહ્મચર્ય એ ચાર પ્રકારે જે પર્વના દિવસનું અનુષ્ઠાન તે ત્રીજુ ચાર પ્રકારનું પિષધવ્રત કહેવાય છે.” (૧) અહીં જે નિવૃત્તિ શબ્દ છે, તે આહાર, દેહ અને સત્કાર અને ગ્રહવ્યાપારની સાથે રાખ. એટલે આહારની નિવૃત્તિ, શરીરસત્કારની નિવૃત્તિ અને ઘરના વ્યાપારની નિવૃત્તિ એમ સમજવું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. (૧) આહારની નિવૃત્તિમાં અશનાદિ આહારને વિશેષે કરી ત્યાગ સમજવો. (૨) શરીર સત્કાર નિવૃત્તિમાં સ્નાન, ઉદ્ધત્તન (શરીરે તેલાદિ ચળવું) અને વિલેપન વિગેરેનો ત્યાગ સમજ. (૩) ગ્રહ વ્યાપારની નિવૃત્તિ, એટલે ઘરના વ્યાપારને નિષેધ સમજ. (૪) બ્રહ્મચર્ય એટલે સ્ત્રી સેવા (સંગ) ને નિષેધ, અહીં વળી આહાર નિવૃત્તિ પિષધ બે પ્રકારે કહેલું છે. એક દેશ થકી અને બીજું સવ થકી. ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરનારને દેશથકી પિષધ હોય છે અને ચતુર્વિધ આહારના પચ્ચકખાણ કરનારને સર્વ થકી પચ્ચકખાણ હોય છે. તે સિવાયના બાકીના ભેદે તો સવ થકી જ છે. તેને માટે આવો પાઠ છે. "करेमि भंते पोसहं आहर पोसहं देसओ, सव्वओ वा, शरीरसकार पोसहं सव्वओ, अव्वावारपोसह सव्वओ, बंभचेर पोसहं सवओ, चउविहे पोसहे सावज जोग पच्चखामि जावदिवसं अहोरत्तिं वा पज्जुवासामि दुविहं तिविहेणमित्यादि " ॥१॥ બીજે ઠેકાણે બીજી રીતે પણ કહેલું છે. આ ચાર પ્રકારનું પૌષધશ્રત દેશ અને સર્વ એમ બે પ્રકારે થાય છે. (૧) તેમાં દેશથી આહાર પોષધ-વિગય વગેરેનો ત્યાગ અને એકવાર બેવાર ભોજન કરવું તે અને સર્વથી આહાર પષધ ચતુર્વિધ આહારનો ત્યાગ કરો તે. (૨)–(૩) દેહ સંસ્કાર અને ગૃહ વ્યાપાર પોષધને વિષે કાંઇક દેહ સત્કાર અને ગૃહવ્યાપાર કરે તે. થોડું કરવું તે દેશથકી અને સર્વથા ન કરવું તે સવ થકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy