SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૧૫ અને મોક્ષગતિ એ બે ગતિઓ છે અને શ્રાવકને એકલી દેવગતિ છે. વળી સાધુ ફક્ત સંજવલનના ચાર કષાયવાળા હોય છે. અથવા નિષ્કષાયિ પણ હોય છે અને શ્રાવક તો આઠ કષાયવાળા એટલે પ્રત્યાખ્યાની અને સંજવલની હોય છે. સાધુઓ એકી સાથે પંચ મહાવ્રતના અંગીકારી અને શ્રાવક તો થોડા અથવા સમસ્તના પણ ઇચ્છા પ્રમાણે અંગીકારી છે. સાધુઓને એકવાર અંગીકાર કરેલું સામાયિક વ્રત જાવજીવ પર્યત રહે છે અને શ્રાવકને તો તે સામાયિક વ્રત વારંવાર અંગીકાર કરાય છે. સાધુને એક વ્રતનો ભંગ થતાં સવર ત્રતનો ભંગ થાય છે, કારણ કે માંહોમાંહી તેનું સાપેક્ષપણું છે અને શ્રાવકને તેમ નથી. તેથી આ સામાયિક ક્યાં કરવું ? એવી શંકા થતાં તેનો ઉત્તર આ પ્રમાણે છે " मुनेः समीपे जिनमंदीरे वा, गृहेऽथवा यत्र निराकुलः स्यात् । सामायिकं तत्र करोति गेही, सुगुप्ति युक्तः समितश्च सम्यक् " ॥१॥ ગૃહસ્થ મુનિની સમીપે, અથવા જિનમંદિરમાં ઘેર અથવા જ્યાં નિરાકુલપણે રહેવાય ત્યાં ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ સાથે સામાયિક અહીં સામાયિક કરનારે જો કે જિનમંદિરમાં સામાયિક કરવું યોગ્ય છે; કારણ કે તેમાં સમ્યક પ્રકારે સમાધિ પ્રાપ્ત થાય છે. માટે તેનું ગ્રહણ પ્રથમ કરવું જોઈએ. પરંતુ અહીં મુનિની સમીપે સામાયિક કરવાનું પ્રથમ કહેલ છે તેનું કારણ એ છે કે, મુનિની પાસે ધમ વાર્તા વગેરે સાંભળવાથી વિશેષ લાભ થાય છે માટે તેનું પ્રથમ ગ્રહણ કરેલ છે. વળી જે ગૃહાદિકને વિષે સામાયિક કરે તેને પણ સમિતિ અથવા ગુપ્રિ સહિત ગુરુ સમીપે આવીને તે ગુરુની સાક્ષી પૂર્વક સામાયિક ઉચ્ચરે. આ વિધિ અલ્પઋદ્ધિ શ્રાવકને માટે છે. બહુ ઋદ્ધિવાળા શ્રાવકને વિધિ તો આ પ્રમાણે છે. જે મહદ્ધિક રાજાદિ છે, તે પ્રથમ સાધુની પાસે આવી તે પછી સામાયિક ઉચ્ચરે. જે તેમ ન હોય તે જેણે સામાયિક કરી છે એવા શ્રાવક સમૃદ્ધિમાન રાજાદિકને યોદ્ધાઓ અને ઘોડાઓથી આરંભને પ્રસંગ આવે છે. આ વિષે વિશેષ વિવેચન કરવાથી બસ છે. તે વિષે વધારે જાણવું હોય તે આવકચૂર્ણ ગ્રંથ જોઈ લે. - સામાયિક લેનારાઓનું કૃત્ય. સામાયિક ગ્રહણ કરનારાઓએ કેવી રીતે વર્તવું જોઈએ ? તે પ્રથમ જાણવાનું છે. સામાયિકમાં રહેલા પુરુષે શ્રેષ્ઠ એવા સિદ્ધાંતના અર્થો પૂછવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy