SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૧૩ શુભ બુદ્ધિ ઉત્પન્ન થવાથી મૃગસુંદરીના સસરા વગેરે મૃગસુંદરીને મૂકી ભેજન કરવા ઉડ્યાં નહીં પછી તે ગૃહસ્થના કુટુંબે તે ભેજન ખાધું, અને ખાધા પછી તત્કાળ તેઓ મરણને શરણ થઈ ગયા. પ્રાતઃકાળે તે સર્વને મરણ પામેલા જોઈ, મૃગસુંદરીના સસરા વગેરે તેનું કારણ જાણવા આમ તેમ જોવા લાગ્યા. તેવામાં એક તપેલીની અંદર સર્ષની ગરળ જવામાં આવી. તે જોતાં જ તેઓએ વિચાર્યું કે રાત્રે રસેઇના ધૂમાડાથી આકુળ વ્યાકુળ થયેલે કોઈ સંપ ઉંચેથી તપેલીમાં પડી ગયેલ, તેના ઝેરથી સર્વનું મૃત્યુ થયું છે. આ બીના જાણું સર્વેએ મૃગસુંદરીના વખાણ કર્યા અને તેણીની ક્ષમા માગી. આ વખતે મૃગસુંદરી બોલી, “આર્યો, આવાં કારણને લઈને હું ચૂલા ઉપર ચંદરવો બાંધતી હતી, અને રાત્રિ ભેજનને ત્યાગ કરતી હતી. ‘તેણીનાં આવાં વચન સાંભળી સર્વે પ્રતિબંધ પામી ગયા અને મૃગસુંદરીને જીવિતદાત્રી થવાથી કુળદેવીની પ્રમાણે માનવા લાગ્યા. પછી તેઓ પાછા ઘેર આવ્યા અને મૃગસુંદરીના ઉપદેશથી ઉત્તમ પ્રકારના શ્રાવકો થયા. તે પછી મૃગસુંદરી અને ધનેશ્વર ચિરકાલ પયત સમ્યગૂ ધમને આરાધીને છેવટે સમાધિપૂર્વક કાળ કરી સ્વાગે ગયાં હતાં. સ્વર્ગનાં સુખનો અનુભવ કરી આ વખતે તમે બંને દેવરાજ અને લકમીવતી થયા છે. તે પૂર્વભવે ચંદરવા બન્યા હતા, તે દુષ્કર્મ નિંદા વગેરે કરવાથી તે ખપાવી દીધું હતું પણ તે અંશમાત્ર રહેલું, તેનાથી આ ભવમાં તને સાત વર્ષ સુધી તે વ્યાધિ રહ્યો હતો. આ લમીવતીએ તે પૂર્વના નિયમના પ્રભાવથી તારા વ્યાધિને શાંત કર્યા હતા. રાજા દેવરાજ અને રાણી લક્ષ્મીવતી ગુરુના મુખથી આ પ્રમાણે પૂર્વભવને વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત થયાં. તત્કાળ તેઓ બંને આ સંસાર ઉપરથી વિરક્ત થઈ ગયાં. પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કરી તેમણે દીક્ષા ગ્રહણ કરી. છેવટે કાલ ધમને પામી સ્વગના સુખનાં ભાજન થયાં હતાં. આ પ્રમાણે અનર્થદંડ વિરમણ વ્રતને વિષે મૃગસુંદરીની કથા કહેવામાં આવી તે ઉપરથી બીજા ભવ્ય છાએ ચૂલા ઉપર ચંદરવા ન બાંધવારૂ પવગેરે અનર્થદંડથી વિરામ પામવું. અહીં આ પ્રમાણે ભાવના છે " चिंतेअव्वं च नमो, सअट्ठगाई च जेहि पावाई । સાર્દ ૨ વળિયા નિશાથં ચ સવ્યા છે'' શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy